Tirupati Temple : તિરુપતિ દેવસ્થાનમે 18 ગેર-હિંદુ કર્મચારીઓને મંદિરમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના હિંદુઓના પવિત્ર તિરૂપતી બાલાજી(Tirupati Temple)મંદિરમાંથી આઠ ગેર- હિંદુ કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળને કારણે ઉભા થયેલા વિવાદ બાદ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે મંદિરમાં કામ કરતી વખતે અન્ય ધર્મોની પરંપરાઓનું પાલન કરતા 18 કર્મચારીઓને દૂર કરવાની તૈયારી કરી છે. આ કાર્યવાહી ટીટીડીના અધ્યક્ષ બીઆર નાયડુના નિર્દેશો પર અને ભગવાન વેંકટેશ્વરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
આ પણ વાંચો: Tirupati બાલાજીમાંથી બિન-હિંદુ કર્મચારીઓને દૂર કરાશે, બોર્ડની બેઠકમાં લેવાયેલા અનેક નિર્ણયો
સંસ્થાએ આ કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય લીધો
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં ગેર- હિંદુ ધાર્મિક પરંપરાઓનું પાલન કરતા 18 કર્મચારીઓને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ભગવાન વેંકટેશ્વર મંદિરની પવિત્રતાને પ્રાથમિકતા આપતાં સંસ્થાએ આ કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય લીધો છે.
સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ કાઢી મૂકવામાં આવશે
ટીટીડી તહેવારો અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાની સાથે આ કર્મચારીઓ અન્ય ધર્મોની ધાર્મિક પરંપરાઓનું પાલન કરતા હતા. બીઆર નાયડુના નિર્દેશો પર, ટીટીડીએ આવા કર્મચારીઓ માટે એક વ્યવસ્થા કરી છે જેમાં આ લોકોને અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ કાઢી મૂકવામાં આવશે.
ગેર-હિંદુ પરંપરાઓનું પાલન કરી રહ્યા છે
ટીટીડીએ પરિપત્રમાં જણાવ્યું હતું કે મંદિરમાં ઘણા કર્મચારીઓ છે જેમણે મંદિરમાં જોડાતી વખતે હિંદુ ધર્મ અને હિંદુ પરંપરાઓનું પાલન કરવાના શપથ લીધા હતા.પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ લોકો મંદિર સાથે જોડાયેલા હોવા છતાં ગેર-હિંદુ પરંપરાઓનું પાલન કરી રહ્યા છે.
ગેર-હિંદુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે નહીં
પરિપત્ર મુજબ, મંદિરમાં જોડાતી વખતે બધા કર્મચારીઓ ભગવાન વેંકટેશ્વરની સામે હિંદુ ધર્મનું પાલન કરવા અને ગેર- હિંદુ પ્રથાઓમાં જોડાવાથી દૂર રહેવાની શપથ લે છે. ગયા વર્ષે, ટીટીડી બોર્ડે નિર્ણય લીધો હતો કે મંદિરમાં ગેર-હિંદુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે નહીં.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર એક હિંદુ સંસ્થા
અધ્યક્ષ બી.આર. નાયડુએ કહ્યું હતું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર એક હિંદુ સંસ્થા છે, તેથી અહીં ગેર- હિંદુ કર્મચારીઓની નિમણૂક ન કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ સરકારને હાલના ગેર-હિંદુ કર્મચારીઓને અન્ય કોઈ સરકારી કચેરીમાં ટ્રાન્સફર કરવા અથવા વીઆરએસ માટે વિનંતી કરશે.