ઇન્ટરનેશનલ

બેલ્જિયમમાં બે સ્વીડિશ નાગરિકોની ગોળી મારીને હત્યા

વડાપ્રધાને કહ્યું- આ આતંકવાદ છે

બ્રસેલ્સઃ બેલ્જિયમના બ્રસેલ્સમાં હુમલાખોરોએ બે સ્વીડિશ નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હતી અને ત્રીજા વ્યક્તિને ઘાયલ કરી હતી. ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બંદૂકધારીઓએ પોતાને ઈસ્લામિક સ્ટેટના સભ્યો તરીકે ઓળખાવ્યા હતા. ગોળીબાર બાદ હુમલાખોરો ફરાર છે.

રેકોર્ડ કરેલા વિડિયો સંદેશમાં હુમલાખોરોએ કહ્યું, ‘મારું નામ અબ્દેસલામ અલ-ગુલાની છે અને હું અલ્લાહનો યોદ્ધા છું અને ઇસ્લામિક સ્ટેટનો છું. જે આપણને પ્રેમ કરે છે તેને આપણે પ્રેમ કરીએ છીએ, જે આપણને નફરત કરે છે તેને નફરત કરીએ છીએ. તેમણે કહ્યું કે ‘અમે અમારા ધર્મ માટે જીવીએ છીએ અને અમારા ધર્મ માટે મરીએ છીએ.’ હુમલાખોરે કહ્યું કે અમે મુસ્લિમોના નામે બદલો લીધો છે.

અમે ત્રણ સ્વીડિશ નાગરિકોની હત્યા કરી છે. જો કે, આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે સ્પષ્ટ નથી. બીજી તરફ, બેલ્જિયમના પીએમએ રાજધાની બ્રસેલ્સમાં ત્રણ સ્વીડિશ નાગરિકોની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં માર્યા ગયેલા બંને લોકો સ્વીડનના નાગરિક હતા. આરોપીઓ હજુ પોલીસની પકડમાંથી બહાર છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. ગોળીબાર બાદ બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાંડર ડી ક્રોએ મૃતકોના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે બ્રસેલ્સના લોકોને સતર્ક રહેવા કહ્યું છે.


આ હુમલા બાદ UEFA એ બેલ્જિયમ અને સ્વીડન વચ્ચેની ક્વોલિફાઈંગ મેચ પણ રદ કરી દીધી છે. UEFA એ ટ્વીટ કર્યું કે શંકાસ્પદ આતંકવાદી હુમલાને કારણે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. ચર્ચા પછી, બેલ્જિયમ અને સ્વીડન વચ્ચેની UEFA યુરો 2024 ક્વોલિફાઇંગ મેચ રદ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…