ટોપ ન્યૂઝનેશનલ

દેશના ભાગલા એ સૌથી મોટી ઐતિહાસિક ભૂલ: ઓવેસીનું નિવેદન ચર્ચામાં

નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દેશના ભાગલા નહતાં થવા જોઈતા એમ કહી આર ઘટનાને એક ઐતિહાસિક ભૂલ ગણાવી છે. આ દેશના ભાગલા થયા એ આપડું દુર્ભાગ્ય છે. એમ પણ ઓવૈસીએ કહ્યું હતું. ત્યારે હવે ઓવૈસીનું આ નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે.

સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક પત્રકાર પરિષદમાં સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણી પર પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં આ નિવેદન કર્યું હતું. આ અંગે ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની સ્થાપના મોહમ્મદ અલી ઝીણાના કારણે નહિ પણ હિન્દુ મહાસભાની માંગણીને કારણે થઈ હતી.

તેમને વધુમાં કહ્યું કે, ઇતિહાસની દ્રષ્ટિએ આ એક જ દેશ હતો અને દુર્ભાગ્યવશ તેના ભાગલા થઈ ગયા અને એ થવું નહતુ જોઈતું. હમણાં હું એટલું જ કહી શકું છું. પણ જો તમે ઇચ્છો તો આ વિષય પર ચર્ચા પણ કરી શકું છું. હું તમને કહીશ કે દેશની ફાળવણી માટે કોણ જવાબદાર છે. એ વખતે થયેલ ઐતિહાસિક ભૂલ અંગે હું એક જ લાઈનમાં વાત કરી શકું છું.

AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ દેશના પહેલા શિક્ષ્ણ પ્રધાન મૌલાના પુસ્તક ઇન્ડિયા વિન્સ ફ્રીડમ આ પુસ્તક વાંચવાની સલાહ આપી હતી. ઉપરાંત મૌલાના અબુલ કલામ આઝાદે કઈ રીતે કોંગ્રેસ નેતાઓ પાસે જઈને દેશના ભાગલાનો પ્રસ્તાવ ના સ્વીકારતા એવી વિનંતી કરી હતી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker