Ambaji માં બુલડોઝર કાર્યવાહી અંગે હાઇકોર્ટની લાલ આંખ, અહેવાલ રજુ કરવા હુકમ…
અમદાવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં(Ambaji)ગેરકાયદે બાંધકામ મુદ્દે હાઈકોર્ટે લાલઆંખ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે અંબાજીના મુખ્ય કાર્યકારી અધિકારી, અંબાજી વિસ્તાર શહેરી વિકાસ સત્તામંડળ, અંબાજીને કથિત ગેરકાયદે બાંધકામનું નિરીક્ષણ કરવા અને અહેવાલ તૈયાર કરવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે અંબાજી વિકાસ અને પ્રવાસન સત્તા નિયંત્રણ મંડળની બેવડી નીતિની પણ ઝાટકણી કાઢી હતી.
Also read : બજેટમાંથી ગુજરાત માટે શું જાહેરાતો કરવામાં આવી?
આગામી 27 ફેબ્રુઆરીએ સુનાવણી થશે
અદાલતના આદેશમાં નોંધવામાં આવ્યું હતું કે પ્રતિવાદી નં. 1 અને 2 કે જેઓ બિલ્ડર છે તેમના દ્વારા વિકાસ પરવાનગી ઉપરવટ જઈને અનધિકૃત બાંધકામના આરોપો છે. આથી અરજદારોની હાજરીમાં અનધિકૃત બાંધકામના આરોપના સંદર્ભમાં નિરીક્ષણ અહેવાલ તૈયાર કરીને ઉપરોક્ત અહેવાલ આગામી સુનાવણીની તારીખે અથવા તે પહેલાં સોગંદનામું દાખલ કરીને રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ મામલો હાઈકોર્ટે આગામી 27 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખ્યો હતો.
પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
સમગ્ર મામલા અંગે મળતી વિગત મુજબ, અંબાજી વિસ્તારમાં ભુપેન્દ્ર અગ્રવાલ અને શૈલેષ ખંડેલવાલ નામના બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા. તે બાબતે અરજદાર અમિતકુમાર પટેલ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે બાબતે કોઈ પગલા નહીં લેવામાં આવતા અરજદાર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. તેની સુનાવણી દરમિયાન અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે અંબાજીમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અન અધિકૃત બાંધકામોના નામે તાત્કાલિક બધું તોડી પાડવામાં આવે છે જ્યારે પ્રસ્તુત કેસમાં અનઅધિકૃત બાંધકામ અંગેના પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
Also read : ગુજરાતના ખેડૂતો, દરિયાકાંઠાને લાભ; કેન્દ્રીય બજેટ પર ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર
બાંધકામો તાત્કાલિક રીતે તોડી પાડવા જોઈએ
આથી વિકાસ પરવાનગી ની ઉપરવટે જઈને કરવામાં આવેલા બાંધકામો તાત્કાલિક રીતે તોડી પાડવા જોઈએ. બીજી બાજુ લીડર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓએ ઇમ્પેક્ટ ફી ભરીને આ બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરેલી છે આથી બાંધકામાલમાં તોડી શકાય નહીં. પરંતુ કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું કે ઇમ્પેક્ટ ફીનો કાયદો આ વિસ્તારમાં લાગુ પડતો નથી આથી બિલ્ડરને કોઈ રાહત આપી શકાય નહીં ઉપરોક્ત રજૂઆત બાદ કોર્ટે કડક હુકમ કર્યો હતો.