નેશનલ

CBI કોલી અને પંઢેરની ફાંસી રદ કરતા હાઇ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે…

પ્રયાગરાજ: નોઈડાના પ્રખ્યાત નિઠારી કેસમાં સુરેન્દ્ર કોલીને 12 કેસમાં અને મનીન્દર સિંહ પંઢેરને 2 કેસમાં અલહાબાદ હાઈ કોર્ટે ફાંસીની સજા રદ કરીને તેને નિર્દોષ જાહેર કર્યો છે. CBI સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેર પરના આજના ચુકાદાથી નાખુશ છે. સીબીઆઈએ કહ્યું હતું કે તે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સીબીઆઈના વકીલ સંજય કુમાર યાદવે કહ્યું છે કે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પુરાવાના આધારે કોલીને આપવામાં આવેલી ફાંસીની સજાને મંજૂરી આપી છે. ત્યારે હાઇ કોર્ટનો આ ચુકાદો આંચકાજનક છે. ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ સીબીઆઈની લીગલ વિંગને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની ભલામણ કરવામાં આવશે.

ચુકાદો આપતી વખતે અલહાબાદ હાઈ કોર્ટે દોષિત સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરની અપીલ સ્વીકારી લીધી. મનિન્દર સિંહ પંઢેરને હવે કોઈ પણ કેસમાં સજા બાકી નથી. ચુકાદા બાદ પંઢેરને નોઈડા જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ સમગ્ર મામલે ચુકાદો આવ્યા બાદ સીબીઆઈએ પોતાની અસહમતિ વ્યક્ત કરી છે. સીબીઆઈ હાઈ કોર્ટના આ ચુકાદાથી નારાજ છે અને હવે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.


નિઠારી કેસમાં પંઢેર સામે કુલ 6 કેસ હતા, જેમાંથી ત્રણ કેસમાં સીબીઆઈ ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે. એક કેસમાં હાઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. બાકીના બે કેસમાં આજે હાઈ કોર્ટે ફાંસીની સજા રદ કરીને તેમને નિર્દોષ જાહેર કર્યા છે. નિઠારી કાંડ વર્ષ 2006માં સામે આવ્યો હતો. આ કેસમાં ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને ફાંસીની સજા સંભળાવી હતી.


મનિન્દર સિંહ પંઢેરના વકીલ મનીષા ભંડારીએ જણાવ્યું કે અમે આ કેસમાં ત્રણ અપીલ દાખલ કરી છે. આ ઘટના એક વર્ષ પહેલા 2010ની છે. પંઢેરને 2010માં આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં બે કેસ નોંધાયા હતા. જેમાં સેશન્સ કોર્ટે પંઢેરને ફાંસીની સજા ફટકારી હતી. ત્રણેય કેસમાં પંઢેરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ કેસમાં પંઢેરને સેશન્સ કોર્ટે જ નિર્દોષ જાહેર કર્યા હતા. અમે હજુ સુધી કોર્ટનો ચુકાદો વાંચ્યો નથી. અમે ફાંસીની સજાને પડકારી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…