નેશનલ

બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનો ભાર

મુંબઈ: બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનું કહેવું છે કે નિયમો અનુસાર ઘર બનાવતી વખતે રહી ગયેલી ખામીઓને સુધારવાની જરૂર છે, જે ગ્રાહકના હિતોનું રક્ષણ કરે છે, પરંતુ આવી તક ન આવવી જોઈએ. આ માટે પ્રમાણભૂત પ્રક્રિયા અગાઉથી નક્કી કરીને અમલમાં મૂકવી જોઈએ. હવે મહારેરાએ આ અંગે પહેલ કરી છે. તેમજ સ્થાવર મિલકત ક્ષેત્રની ગુણવત્તા ખાતરી માટેનું માળખું વિકસાવવા માટે તમામ બિલ્ડરોએ અને પ્રતિનિધિત્ત્વ કરતી નિયમનકારી સંસ્થાઓને સૂચનો માટે પત્ર લખ્યો છે. ક્ષતિઓ દૂર કરવા વધારાના નાણાં ખર્ચવાને બદલે બાંધકામ સ્તરે શું કરી શકાય જેથી આવી ફરિયાદો ઊભી ન થાય? કેવી રીતે કાળજી લેવી? તેના માટે ચોક્કસ પ્રક્રિયા કેવી રીતે નક્કી કરવી? તેમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ? આ અંગે ભાર આપવામાં આવ્યો છે.

મહારેરાને આ અંગે ૩૧મી ઑક્ટોબર સુધીમાં સૂચનો મોકલવા વિનંતી કરવામાં આવી છે. મહારેરાનું કહેવું છે કે પ્રોજેક્ટના નિર્માણમાં ડેવલપર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીની દર છ મહિને તપાસ થવી જોઈએ. જેમાં સિમેન્ટ, સ્ટીલ, રેતી જેવી તમામ બાંધકામ સામગ્રીનો સમાવેશ થાય છે. એકંદર કામ કેવી રીતે થયું આ અંગે કુશળ કામદારોની ભૂમિકા વેબસાઈટ પર પોસ્ટ કરવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?