નેશનલ

વિશ્ર્વસ્તરે ભારતનો અવાજ બુલંદ બની રહ્યો છે: મોદી

પિથોરાગઢ: અનેક પડકારોથી ભરેલા વિશ્ર્વમાં ભારતનો અવાજ બુલંદ બની રહ્યો હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું.

જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ભારતની તાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

એક જાહેરસભાને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે મહિલા અનામત ખરડા સહિત ૩૦-૪૦ વર્ષથી અનિર્ણિત પડી રહેલા મુદ્દાઓ અંગે અમારી સરકારે નિર્ણય લીધા છે.

ભારતના સફળ ચંદ્રયાન-૩ મિશનનો મોદીએ એમ કહીને ઉલ્લેખ કર્યો હતો કે ભારતનું ચંદ્રયાન ચંદ્રના એ વિસ્તારમાં પહોંચ્યું હતું જ્યાં વિશ્ર્વનો અન્ય કોઈ દેશ પહોંચી નહોતો શક્યો. ભારતની તાકાતને વિશ્ર્વભરમાં સમર્થન મળ્યું હતું અને દિલ્હીમાં યોજાયેલ જી-૨૦ શિખર પરિષદ દરમિયાન તેનો પુરાવો મળ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

ભારત હવે વિશ્ર્વનું રાહબર બન્યું છે એ જોઈને શું તમને સારું નથી લાગતું? એવો સવાલ મોદીએ કર્યો હતો. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…