નેશનલ

કેન્દ્ર સરકારે ‘ઇ-શ્રમ વન સ્ટોપ સોલ્યુશન’ કર્યા શ્રી ગણેશઃ અસંગઠિત શ્રમિકોને જોડાવા અપીલ…

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે પાટનગરમાં ‘ઈ-શ્રમ – વન સ્ટોપ સોલ્યુશન‘ લોન્ચ કર્યું હતું. સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક ક્ષેત્રની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે એક જ જગ્યાએ તમામ પ્રકારના ઉકેલો આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : સરકાર ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવા શોધે છે વિવિધ માર્ગો – ડો. મનસુખ માંડવિયા

વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની 12 યોજનાઓને ઇ-શ્રમ સાથે જોડવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રીમતી શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

તેમણે કહ્યું કે ઈ-શ્રમ વન સ્ટોપ સોલ્યુશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય અસંગઠિત કામદારો માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવાનો અને સરકારી કલ્યાણ યોજનાઓ સુધી તેમની પહોંચને સરળ બનાવવાનો છે.

આ પણ વાંચો : યુવા સ્વયંસેવકો પરિવર્તન અને પ્રગતિના સાચા મશાલદાતા: ડો .મનસુખ માંડવિયા

તેમણે કહ્યું હતુ કે આ પ્લેટફોર્મ એક સેતુના રૂપમાં કામ કરશે જે શ્રમિકોને સરકાર તરફથી આપવામાં આવતા અનેક લાભ મળશે અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ અને વધુ પારદર્શી બનાવશે. માંડવિયાએ તમામ અસંગઠિત કામદારોને ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા અને તેમના લાભ માટે રચાયેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી.

ડૉ. માંડવિયાએ તમામ અસંગઠિત કામદારોને ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા અને તેમના લાભ માટે રચાયેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મંચ પર આવવાથી કામદારોને તેમની આજીવિકામાં સુધારો લાવવા અને તેમના કલ્યાણને સુનિશ્ચિત કરવાના હેતુથી સરકાર દ્વારા શરૂ કરાયેલ સામાજિક સુરક્ષા અને કલ્યાણની પહેલની વિશાળ શ્રેણી સુધી પહોંચવામાં મદદ મળશે.

આ પણ વાંચો : ધોરાજી-ઉપલેટામા મનસુખ માંડવિયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, લલિત વસોયાએ ભાજપને આપ્યો આ જવાબ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ કનેક્ટિવિટી વધારવા માટે રાજ્ય સરકારોના પોર્ટલને ઈ-શ્રમ સાથે સાંકળવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે આ પોર્ટલ રાજ્ય/જિલ્લા અનુસાર સંભવિત લાભાર્થીઓને ઓળખીને યોજનાઓનો લાભ સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરશે.

વન સ્ટોપ સોલ્યુશનમાં બજેટની જાહેરાત અને શ્રમ અને રોજગાર મંત્રાલયના 100 દિવસના એજન્ડા મુજબ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોના ડેટાને એકીકૃત અને એકીકૃત કરવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ‘દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઈંટર્નશિપ’- રાજકોટમાં ડો. માંડવિયા

‘વન નેશન વન રાશન કાર્ડ’, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, રાષ્ટ્રીય કારકિર્દી સેવા, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન જેવી મુખ્ય કલ્યાણકારી યોજનાઓને ઈ-શ્રમ સાથે સાંકળી લેવામાં આવી છે અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો પણ સમાવેશ કરવાનું કાર્ય પ્રગતિ પર છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker