નેશનલસ્પેશિયલ ફિચર્સ

દેશમાં દાળના ભાવ નિયંત્રણ માટે વધારાશે આયાત, છ મહિનામાં દાળની આયાતમાં 73 ટકાનો વધારો

નવી દિલ્હી : દેશમાં વિવિધ પાકોના મામલે આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. જેના પગલે કેન્દ્ર સરકારે અનેક પ્રકારની સબસિડી યોજનાઓ પણ શરૂ કરી છે. આમ છતાં દેશ પાક ઉત્પાદન મામલે આત્મનિર્ભર નથી બન્યો. જે દેશના અલગ અલગ પાકના આયાતના(Pulse Import) આંકડા આ નિર્દેશ કરી રહ્યા છે. વાણિજ્ય મંત્રાલયના અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાં દાળની આયાતમાં 73 ટકાનો વધારો થયો છે.

પીળા વટાણાની આયાતમાં ઘટાડો થયો

વાણિજ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન કઠોળની આયાત 2.187 બિલિયન ડોલર રહી હતી. જે એક વર્ષ અગાઉ 1.265 બિલિયન ડોલર હતી. સપ્ટેમ્બર દરમિયાન, કઠોળની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધીને 425.78 મિલિયન ડોલર થઈ હતી. જે એક વર્ષ અગાઉ 315.89 મિલિયન ડોલર હતી. બજારમાં તુવેર, અડદ, ચણાની દાળની આયાતના જથ્થામાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક ઉત્પાદનમાં વધારાને કારણે પીળા વટાણાની આયાતમાં ઘટાડો થયો છે.

ભારત 14 ટકા કઠોળની આયાત કરે છે

ભારત વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વૈશ્વિક ઉત્પાદનનો 25 ટકા ઉત્પાદન થાય છે. પરંતુ વધુ વસ્તીને કારણે અહીં વપરાશ પણ સૌથી વધુ છે. આ મુજબ વિશ્વમાં વપરાશમાં લેવાતા કુલ કઠોળમાંથી 27 ટકા ભારતમાં વપરાય છે. આ કારણે ભારતે તેની જરૂરિયાતો પૂરી કરવા માટે કઠોળની આયાત કરવી પડે છે. હાલમાં ભારત તેની જરૂરિયાતો પૂરી કરવા માટે લગભગ 14 ટકા કઠોળની આયાત કરે છે.ચણાએ સૌથી મહત્વપૂર્ણ કઠોળ છે જેનો કુલ ઉત્પાદનમાં હિસ્સો લગભગ 40 ટકા છે. ત્યારબાદ તુવેરનો હિસ્સો 15 થી 20 ટકા છે અને અડદ અને મગના કઠોળનો હિસ્સો લગભગ 8 થી 10 ટકા છે.

કઠોળનું ઉત્પાદન ખરીફ અને રવિ બંને સિઝનમાં થાય છે. રવિ સિઝનમાં ઉત્પાદિત કઠોળ કુલ ઉત્પાદનમાં 60 ટકાથી વધુ યોગદાન આપે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક ટોચના પાંચ કઠોળ ઉત્પાદક રાજ્યો છે.

મોઝામ્બિક અને તાન્ઝાનિયામાંથી કઠોળની આયાત

ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 4.65 મિલિયન મેટ્રિક ટન કઠોળની આયાત કરી હતી જે 2018-19 પછી સૌથી વધુ છે. કઠોળની આયાત મૂલ્યની દ્રષ્ટિએ 93 ટકા વધીને 3.75 બિલિયન ડોલર થઈ છે. ખાસ કરીને કેનેડામાંથી લાલ દાળની આયાત બમણી થઈને 1.2 મિલિયન ટન થઈ છે. ડિસેમ્બરથી ડ્યુટી ફ્રી આયાતને કારણે રશિયા અને તુર્કીમાંથી પીળા વટાણાની આયાતમાં વધારો થયો છે. ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો સામાન્ય રીતે કેનેડા, મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા, મોઝામ્બિક અને તાન્ઝાનિયામાંથી કઠોળની આયાત કરે છે.

આ પ્રથમવાર નથી કે જ્યારે કઠોળની આયાત વધી હોય. સરકાર આયાત ઘટાડવાના તમામ પ્રયાસો કરી રહી છે અને કદાચ આગામી થોડા વર્ષોમાં તેની સકારાત્મક અસર જોવા મળશે.

પુરવઠો વધારવા માટે પ્રતિબંધો હટાવવામાં આવ્યા

નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતની કઠોળની આયાત લગભગ બમણી થઈને 3.74 બિલિયન ડોલર થઈ ગઈ છે. તાજેતરના વર્ષોમાં અનિયમિત હવામાન પેટર્નને કારણે સ્થાનિક ઉત્પાદનમાં થયેલા ઘટાડાને પગલે સરકારે પુરવઠો વધારવા માટેના નિયંત્રણો ઉઠાવ્યા અને ભાવ વધારાને અંકુશમાં લીધા પછી કઠોળની આયાતમાં વધારો થયો છે.

તુવેરની આયાત લગભગ 6.09 લાખ ટન સુધી પહોંચવાની ધારણા

દેશના ઉત્પાદનમાં સતત ઘટાડો થવાને કારણે તુવેરની અછત છે. જ્યારે માંગ વધી રહી છે. ડિમાન્ડ-સપ્લાય ગેપને પહોંચી વળવા માટે આયાત વધી રહી છે. એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન તુવેરની આયાત લગભગ 6.09 લાખ ટન સુધી પહોંચવાની ધારણા છે. જે ગયા વર્ષે 2.74 લાખ ટન હતો. ભારત મુખ્યત્વે મ્યાનમાર અને મોઝામ્બિક અને તાંઝાનિયા જેવા પૂર્વ આફ્રિકન દેશોમાંથી તુવેરની આયાત કરે છે.

દેશી ચણાની આયાત આશરે 1.03 લાખ ટન રહેવાની ધારણા

મ્યાંમારથી અડદનો સતત સપ્લાય થાય છે. એપ્રિલ-સપ્ટેમ્બરમાં અડદની આયાત 4.08 લાખ ટન થઈ શકે છે જે એક વર્ષ અગાઉ 2.4 લાખ ટન હતી. ચાલુ ખરીફ સિઝનમાં અડદનો વાવેતર વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ ઓછો હતો. પરંતુ સારા વરસાદને કારણે ઉત્પાદકતા વધુ રહેશે. માંગ-પુરવઠાનો તફાવત આયાત દ્વારા ભરવામાં આવે છે. કઠોળની આયાત ઘટી શકે છે. એપ્રિલ-સપ્ટેમ્બર માટે દેશી ચણાની આયાત આશરે 1.03 લાખ ટન રહેવાની ધારણા છે. જ્યારે એક વર્ષ અગાઉ તે 11,143 ટન હતી.

પીળા વટાણાની આયાતની મુદત 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી

એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કઠોળની અપેક્ષિત આયાત એક વર્ષ અગાઉ 8.02 લાખ ટનની સરખામણીએ ઘટીને 3.85 લાખ ટન થઈ શકે છે. તાજેતરના મહિનાઓમાં પીળા વટાણાની આયાત પણ ધીમી પડી છે અને એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં 10.23 લાખ ટન સુધી પહોંચી શકે છે. સરકારે પીળા વટાણાની આયાતની મુદત 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી છે.

7 લાખ ટનનો કરાર કરવામાં આવ્યો છે

કઠોળનો વેપાર 31 ડિસેમ્બર, 2024 સુધીમાં પીળા વટાણાની આયાત 3.3-3.5 મિલિયન ટનની વચ્ચે રહેવાની અપેક્ષા રાખે છે. 31 ઓગસ્ટ સુધી પીળા વટાણાની કુલ આયાત લગભગ 2.2 મિલિયન ટન થઈ શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર માટે અન્ય 7 લાખ ટનનો કરાર કરવામાં આવ્યો છે. ઓક્ટોબરના અંત સુધીમાં આયાત ત્રણ મિલિયન ટનની આસપાસ રહી શકે છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker