મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂ. જૈન
સ્વ. સુમતીલાલ શાહના પત્ની ઉષાબેન (ઉં.વ. ૮૪) તા. ૧૮-૧૦-૨૪, શુક્રવારના અરિહંતશરણ થયેલ છે. તે ભરત, હિના, હિતેશનાં માતા. નિતા, હિરલ, દિનેશ પટણીનાં સાસુ. પ્રાણજીવન ચત્રભુજ દેસાઈનાં પુત્રી. જયંતીભાઈ, ચન્દ્રકાંતભાઈ, બિપિનભાઈ, વિમળાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: ૩૦૪, બ્લોસમ એપાર્ટમેન્ટ, કે.ટી. સોની માર્ગ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ).

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ બોરીવલી સ્વ. શાંતાબેન ધનજીભાઈ શાહના પુત્ર વિનોદભાઈ (ઉં. વ. ૮૨) તે સ્વ. તરુલતાબેનના પતિ. તે રાકેશ તથા હેમાના પિતાશ્રી. તે જીગીશા અને વીરેશકુમારના સસરા. તે સ્વ. કોકીલા તથા દિલીપભાઈના ભાઈ. તે સેજકપુર નિવાસી હાલ અમદાવાદ સ્વ. કેશવલાલ જીવરાજ શાહના જમાઈ ૧૮-૧૦-૨૪ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ધ્રોળ નિવાસી હાલ ભાયંદર હિના મુકેશભાઈ મહેતા (ઉં. વ. ૫૭) તે સ્વ. મુકેશભાઈ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની, ઋષભ તથા ધવલના માતુશ્રી. ઈલા, મીના, હર્ષા તથા દીપક ના ભાભી. ગં. સ્વ કલાવતીબેન તથા પ્રેમગીરીના દીકરી. કૈલાશ, રેણુકા, હરીશ, હંસાના બહેન. તે તા. ૧૭/૧૦/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૧/૧૦/૨૪ ના ૧૦ થી ૧૨ કલાકે રાધા ક્રિષ્ના બેન્કવેટ હોલ, પૂનમ સાગર કોમ્પ્લેક્સ, મીરા ભાયંદર રોડ, મીરારોડ ઈસ્ટ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
લાખાપુરના રાજેશ લખમશી મારૂ (ઉ. ૬૧) તા. ૧૮-૧૦-૨૪ના અવસાન પામેલ છે. દિવાળીબેન લખમશીના પુત્ર. સુરેખાના પતિ. પ્રિયંકના પિતા. અશ્ર્વિન, મનોજ, નરેશ, જ્યોતિ, સરોજના ભાઇ. જલગામ સુમન મનોહરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અશ્ર્વિન મારૂ, ૬, દમયંતી બીલ્ડીંગ, ઉતરસર, થાણા (વે.) ૪૦૦૬૦૧.

વડાલાના જયાબેન (મણીબેન) જાદવજી ગાલા-ઈશરાણી (ઉ.વ.૮૩) તા.૧૭-૧૦-૨૪ ના દેહત્યાગ કરેલ છે. સાકરબેન કેશવજી ચનાના પુત્રવધુ. જાદવજીના પત્ની. નિલેશ, નયન, ભારતી, દિના (સરોજ), હર્ષાના માતા. મોખા મોંઘીબેન વીરજી હંસરાજ સતરાના પુત્રી કસ્તુર, ભાવના, મગનના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર, ટા.૧.૩૦ થી ૩.૦૦. નિ. નયન જાદવજી ગાલા, સી-૨૭૦૩, અશોકા ટાવર, બી.એ. આંબેડકર રોડ, પરેલ, મું. ૧૨.

૪૨ વિશા શ્રીમાળી જૈન
શ્રીમતી સુશીલાબેન ઈશ્વરલાલ બાબુલાલ શાહ, (ઉં. વ.૮૦) (બળાદ), અંધેરી (વેસ્ટ), ૧૫-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. ઇશ્વરભાઇના પત્ની, ચેતન, સંજય, રાકેશના માતૃશ્રી, બેલા, મોનિકા, સ્મૃતિના સાસુ, કાજોલના વડસાસુ, યશ, હર્ષ, આયુષ, સાચી, આદિ, આશ્વિના દાદી, વિઆનાના પરદાદી. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૦-૨૪, સોમવાર ૧૦ કલાકે રાખેલ છે. સ્થળ: જાનકીબાઈ હોલ, ભવન્સ કોલેજની બાજુમાં, દાદાભાઈ રોડ, અંધેરી (વેસ્ટ).

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker