આપણું ગુજરાત

ગુજરાતમાંથી બે દિવસમાં ચોમાસું વિદાય લેશે: ભાદરવાનો તાપ શરૂ થયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતને ચાલુ વર્ષે તરબોળ કરી દેનારાં મેઘરાજાની હવે વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગે બે દિવસમાં ચોમાસું વિદાય લેશે એવો વર્તારો આપ્યો છે. જ્યારે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે રાજ્યમાં દિવસની ગરમીનો પારો ઊંચકાતાં લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીની બેવડી ઋતુ શરૂ થઇ છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ તાપમાન ૩૫ ડિગ્રીની ઉપર રહ્યું છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૧૦૩ ટકા જેટલો સારો વરસાદ વરસ્યાં બાદ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે તેમજ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવાની કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતનાં મહાનગરોમાં પણ દિવસે સૂર્યનારાયણ તપ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનાં બેવડી મોસમથી ઋતુજન્ય બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત