મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
હરીપર, હાલ ઘાટકોપર, સ્વ. સુશીલાબેન મનુભાઈ સંઘવીના પુત્ર યોગેશના ધર્મપત્ની અ. સૌ. ભાવના (ઉં.વ. ૬૦). તે રિંકલ (મિંટી) હર્ષિલ દરબારી અને જતનના માતુશ્રી. ભાવના કિશોર દેસાઈ અને બીના રાજેશ મહેતાના ભાભી. વંશના નાની. તે પિયર પક્ષે મહુવાવાળા ભાનુબેન નગીનદાસ ત્રિભુવનદાસ ગાંધીના સુપુત્રી, તા. ૩-૧૦-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૧૦-૨૩ શનિવારે ૪.૩૦ થી ૬.૩૦. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડીયાનગર, ઘાટકોપર ઇસ્ટ, સર્વ લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી દશનામ ગોસ્વામી સમાજ
સ્વ. શંકરગીરી લાલગીરી ગોસ્વામી (ઉં. વ. ૬૬) કચ્છ ગામ- સણોસરા, હાલે મુલુંડ- ચેકનાકા ૩-૧-૨૩ના કૈલાશવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા ૬-૧૦-૨૩ના ૫ થી ૬. મુકતેશ્ર્વર ધામ મંદિર, ડમ્પીંગ રોડ, મુલુંડ વેસ્ટ.

કપોળ
જાફરાબાદ (હાલ ડોંબીવલી) સ્વ. ભાનુબેન પિતાંબરદાસ કાનજી મહેતાના સુપુત્ર રજનીકાંત (ઉં. વ. ૭૨) તા. ૪-૧૦-૨૩ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અનિલા તથા મંદાના પતિ. કેતન-કૃપાલી-દર્શનના પિતા. સ્નેહા તથા અનંતના શ્ર્વસુર. રસિકભાઈ-હરીષભાઈ-ઉપેન્દ્રભાઈના મોટાભાઈ. હર્ષના દાદા. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

ઔદીચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ
મૂળ નાની વાવડી, હાલ બોરીવલી, વનિતાબેન વ્યાસ (ઉં.વ. ૮૫) તા. ૨-૧૦-૨૩ના સોમવારે કૈલાસવાસી થયા છે. તે સ્વ. ચંદુલાલ ભુરાભાઈ વ્યાસના પત્ની. ભગવતીબેન એચ. મહેતા, રંજનબેન આર. જોષી, ધર્મિષ્ઠાબેન એસ. મહેતા, ભરતભાઇ, મહેશભાઈના માતા. દક્ષા, ગાર્ગીના સાસુ. સ્વ. અનસૂયાબેન, જે.બી. વ્યાસ, વિજયાબેન, દમયંતીબેન. ડી. મહેતા જેતપુરના ભાભી. સ્વ. વ્રજકુંવરબેન અને સ્વ. પ્રભાશંકર શામજી મહેતાના પુત્રી અને સ્વ. મહાશંકર, સ્વ. મૂળશંકરભાઈ, મનસુખભાઇ, મંછાબેન, કંચનબેન, ગિર્જાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૬/૧૦/૨૩, શુક્રવાર ૪.૩૦ થી ૬.૩૦. : લુહાર સુથારની વાડી, ૧ માળે, અંબે માના મંદિર પાસે, રાજહિલ્સની સામે, દત્તપાડા રોડ, બોરીવલી (ઇસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?