નેશનલ

Haryana માં સૈની સરકાર 17 ઓક્ટોબરે જ કેમ લેશે શપથ ? આ છે ખાસ કારણ

ચંદીગઢ : હરિયાણામાં(Haryana)ભાજપની નવી સરકાર 17 ઓક્ટોબરે શપથ લેશે. આ પૂર્વે એવી માહિતી હતી કે સૈની સરકાર 15 ઓક્ટોબરે શપથ લેશે પરંતુ ત્યારબાદ 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. તારીખ શા માટે બદલવામાં આવી તેનું કારણ હવે સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે 17મી ઓક્ટોબરે વાલ્મીકિ જયંતિ છે. આ દિવસે શપથ લઈને ભાજપ દલિતોને ખાસ સંદેશ આપવા માંગે છે. હરિયાણા સરકારે રામચરિતમાનસના લેખકની જન્મ તારીખ પર રાજ્યમાં જાહેર રજા જાહેર કરી દીધી છે. વાલ્મીકિ સંપ્રદાયમાં વાલ્મીકિ જયંતિ પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે.

ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે

આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તે અહીં 10માંથી માત્ર પાંચ બેઠકો જીતી શકી હતી. પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. હરિયાણામા ભાજપની તાકાત અને દલિત-ઓબીસી મતો પર તેની પકડ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. લોકસભા ચૂંટણીમાં આ દલિત-ઓબીસી મત કોંગ્રેસના ખાતામાં ગયા હતા.

ગરીબો, પછાત લોકો અને દલિતોને સન્માન આપ્યું

આ ઉપરાંત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની ભૂમિકા પણ ઘણી મહત્વની રહી છે. જેમાં 500 રૂપિયામાં સિલિન્ડર અને મધ્યપ્રદેશની લાડલી બહેન યોજનાની જેમ જ લાડો લક્ષ્મી યોજનાની રજૂઆત ખાસ હતી. આ યોજનાઓએ દલિતો અને મહિલા મતદારોને પક્ષ તરફ આકર્ષ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેણે ગરીબો, પછાત લોકો અને દલિતોને સન્માન આપ્યું છે. તે એવા પક્ષો જેવા નથી જે ફક્ત આ લોકો સુધી પહોંચવાનો ઢોંગ કરે છે. 2014માં સત્તામાં આવ્યા બાદ ભાજપે આ બધા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે.

આ ચૂંટણી પહેલા ભાજપે હરિયાણામાં પોતાના સીએમ બદલ્યા હતા. તેમણે મનોહર લાલ ખટ્ટરને હટાવીને OBC નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા. ત્યારબાદ ચૂંટણીમાં પણ તેમને સીએમ ચહેરો બનાવવામાં આવ્યા હતા. આનો ફાયદો પણ પાર્ટીને થયો છે. હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અનુસૂચિત જાતિ માટે અનામત 17માંથી 8 બેઠકો જીતી હતી. આ વસ્તીના કુલ 20 ટકા છે. તે જ સમયે, ભાજપને લગભગ 30 ટકા ઓબીસી મતદારો પણ મળ્યા છે. આ ચૂંટણીમાં ભાજપનો ચહેરો બનેલા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પોતે ઓબીસી સમુદાયના છે.

17 ઓક્ટોબરના રોજ વાલ્મિકી જયંતિ ઉજવવામાં આવે છે

આ પહેલીવાર નથી જ્યારે ભાજપે મહર્ષિ વાલ્મિકીને ધ્યાનમાં રાખીને કોઈ પગલું ભર્યું હોય. જાન્યુઆરીમાં તેમણે મહર્ષિ વાલ્મીકિના નામ પર અધ્યોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ આપ્યું હતું. ભાજપના મતે તે સત્ય, નૈતિકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ આપશે. આ ઉપરાંત વર્ષ 2014માં હરિયાણામાં સત્તામાં આવ્યા બાદ ભાજપે સંતોને લઈને વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા હતા. ઓક્ટોબર 2015 માં, ખટ્ટર સરકારે મહર્ષિ વાલ્મીકિના નામ પર હરિયાણા યુનિવર્સિટીનું નામ આપ્યું. વર્ષ 2016 થી રાજ્યમાં 17 ઓક્ટોબરના રોજ વાલ્મિકી જયંતિ ઉજવવામાં આવે છે. જૂન 2021 માં ખટ્ટરની આગેવાની હેઠળની કેબિનેટે કૈથલ યુનિવર્સિટીને મહર્ષિ વાલ્મિકી સંસ્કૃત યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરી હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker