આમચી મુંબઈમહારાષ્ટ્ર

Baba Siddique Assassination: હત્યા પર રાજકારણ ન કરો: અજિત પવાર

નાયબ મુખ્ય પ્રધાને બાબા સિદ્દિકીની હત્યા બાદ વિપક્ષો દ્વારા સરકાર પર કરવામાં આવી રહેલા પ્રહારનો જવાબ આપતા કહ્યું હતું કે આ મુદ્દે રાજકારણ કરવું ન જોઇએ. જ્યાં સુધી જવાબદાર આરોપીઓને પકડીને સજા ન આપે ત્યાં સુધી સરકાર નહીં જંપે. આ ઘટનાથી અમારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આ ફક્ત કોઇ રાજકીય નુકસાન નથી, પરંતુ આ અમારું અંગત નુકસાન થયેલું છે.

આ ઘટનાથી અમે બધા જ આઘાતમાં છીએ. આ ઘટનાને રાજકીય રંગ આપવાની લાલસા લોકો રોકે એવી મારી વિનંતી છે. આ સમય ભાગલા પાડવાનો, વિભાજન કરવાનો કે અન્ય કોઇના દુ:ખથી રાજકીય સ્વાર્થ ખાટવાનો નથી. હાલ આપણું ધ્યાન પીડિત કુટુંબને ન્યાય મળે તેના પર હોવું જોઇએ. આપણે બાબા સિદ્દિકીના કુટુંબના દુ:ખમાં સહભાગી થવું જોઇએ. આપણે તેમના દુ:ખનો લાભ લઇને તકવાદી બનીને તેના પર રાજકારણ ન રમવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દિકી અજિત પવાર જૂથના જ નેતા હતા અને ફેબ્રુઆરી મહિનામાં જ તેમણે કોંગ્રેસ છોડીને અજૂત પવાર જૂથની એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker