નેશનલ

‘રાહુલ ગાંધી આગ સાથે રમી રહ્યા છે’

જેટલી આબાદી એટલા અધિકારોની માંગ ખતરનાક ગણાવી કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ

બિહારના જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર થતાની સાથે જ દેશમાં ફરી એકવાર OBC રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ દેશમાં જાતિ ગણતરીની માંગ કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વસ્તીના હિસાબે સમાન અધિકારો હોવા જોઈએ. રાહુલના આ નિવેદન પર કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પ્રહાર કર્યા હતા. રિજિજુએ ચેતવણી આપી હતી કે જો ‘વસ્તી વધુ તેટલા અધિકાર’ની વાત થશે તો તેના કારણે ઉત્તર-પૂર્વ ભારતના ઓછી વસ્તીવાળા પર્વતીય રાજ્યો દરેક વસ્તુથી વંચિત થઈ જશે. તેમણે કહ્યું કે આ માંગને કારણે લઘુમતીઓ વંચિત રહેશે.

રાહુલ ગાંધીએ બિહારમાં કરાયેલા જાતિ સર્વેક્ષણ વિશે કહ્યું હતું કે તે દર્શાવે છે કે રાજ્યમાં OBC, SC અને STની વસ્તી 84 ટકા છે. કેન્દ્ર સરકારના 90 સચિવોમાંથી માત્ર ત્રણ જ OBC છે, જેઓ દેશના બજેટના 5 ટકાનું ધ્યાન રાખે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતના જાતિના આંકડા જાણવા ખૂબ જરૂરી છે. જેટલી વસ્તી છે, એટલા અધિકારો હોવા જોઅએ, અમે આ માટે પ્રતિબદ્ધ છીએ. રાહુલ ગાંધીની આ માંગ પર કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પ્રતિક્રિયા આપી છે.


કિરણ રિજિજુએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી આગ સાથે રમી રહ્યા છે. વસ્તી મુજબ અધિકારોની તેમની માંગ ભારતને મારી નાખશે. અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો, પર્વતીય ઉત્તર-પૂર્વીય રાજ્યો, લદ્દાખ અને ઓછી વસ્તી ધરાવતા હજારો નાના સમુદાયો દરેક વસ્તુથી વંચિત રહેશે. સરહદી વિસ્તારો ક્યારેય વિકાસ પામી શકશે નહીં કારણ કે આવા કઠોર અને દુર્ગમ વિસ્તારોમાં બહુ ઓછા લોકો રહે છે. ભારતના લઘુમતીઓને રાષ્ટ્ર નિર્માણમાં ક્યારેય તક નહીં મળે. તેમણે પૂછ્યું કે સત્તા માટે આવી તે કેવી ઘેલછા!

હકીકતમાં, રાહુલ ગાંધી સતત દેશવ્યાપી જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે. તેઓ એવું પણ ઇચ્છે છે કે અન્ય પછાત વર્ગ અથવા ઓબીસીને તેમની વસ્તી અનુસાર પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ જ કારણ છે કે તેમણે જેટલી વસ્તી છે તેટલા અધિકારનો નારો આપ્યો છે. સમાજવાદી પાર્ટી, આરજેડી અને જેડીયુ જેવી પાર્ટીઓએ પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. કોંગ્રેસે ઈશારાઓ દ્વારા એવું પણ વ્યક્ત કર્યું છે કે તે ટૂંક સમયમાં જ તે રાજ્યોમાં જાતિ સર્વેક્ષણ કરી શકે છે જ્યાં તેની પાર્ટી સત્તામાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત