નેશનલ

Nitish Vs Akhilesh: સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની સલાહ આપતા અખિલેશને નીતીશ કુમારે આપ્યો જવાબ

લખનઊઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર પાસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સમર્થન પાછું ખેંચવાની માંગ કરી હતી. આ નિવેદનને લઈ નીતીશ કુમારે અખિલેશ યાદવ પર પરિવારવાદ પર હુમલો કર્યો હતો.

સમાજવાદી વિચારક જયપ્રકાશ નારાયણના જીવનમૂલ્યો અપનાવ્યા, પરંતુ એના પર અખિલેશ યાદવ એક વાતનું અનુકરણ કર્યું નથી. જો એમના મૂલ્યોને અપનાવ્યા હોત તો સમાજવાદી પાર્ટી પર એકમાત્ર પરિવારનું આધિપત્ય ના હોત, એમ પણ જણાવ્યું હતું.

સમાજવાદી નેતા અને સંપૂર્ણ ક્રાંતિના સૂત્રધાર, જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પર સમાજવાદીને જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ સેન્ટર (જેપી સેન્ટર)માં જતા અટકાવવામાં આવતાં સપા પ્રમુખ ગુસ્સે થયા હતા.

પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ અખિલેશે લખનઊમાં તેમના નિવાસસ્થાનની બહાર જયપ્રકાશ નારાયણની પ્રતિમાને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે આ પછી સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કરી દીધો હતો. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે ઘણા સમાજવાદી લોકો સરકારમાં છે. સરકાર ચલાવવામાં મદદ કરે છે. બિહારના સીએમ નીતીશ કુમાર પણ જય પ્રકાશ નારાયણ આંદોલનમાંથી આગળ આવ્યા છે.

આ દરમિયાન અખિલેશ યાદવે બિહારના સીએમ નીતીશ કુમારની સામે એક માંગ મૂકી. તેમણે કહ્યું કે નીતીશ કુમાર માટે સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચવાની આ એક તક છે, જે કોઈ પણ સમાજવાદીને જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા દેતી નથી.

અખિલેશે વધુમાં કહ્યું હતું કે જયપ્રકાશ નારાયણની જન્મજયંતિના દિવસે અમે તેમની જન્મજયંતિની ઉજવણી કરવા જેપીએનઆઈસી મ્યુઝિયમમાં જઈએ છીએ, પરંતુ મને ખબર નથી કે એવું શું કારણ છે કે આજે સરકાર અમને પુષ્પાંજલિ આપતા રોકે છે. ભાજપે દરેક સારા કામને અટકાવ્યા છે, પરંતુ આજે આપણે જયપ્રકાશ નારાયણને યાદ કરીને રસ્તા પર ઉભા છીએ તો આ સરકાર આપણને હાર પહેરાવવાથી પણ રોકે છે.

અખિલેશે વધુમાં કહ્યું કે જયપ્રકાશ નારાયણના નામ પર બનેલી ઈમારતને ઢાંકી દેવામાં આવી છે કારણ કે તેની પાછળ કોઈ ષડયંત્ર છે, તેઓ તેને વેચવા માંગે છે. મ્યુઝિયમ વેચતી સરકાર પાસેથી શું અપેક્ષા રાખી શકાય? સમાજવાદી પાર્ટીના લોકો દર વર્ષે તેમની જન્મજયંતિની ઉજવણી કરતા આવ્યા છે અને આ જ રીતે ઉજવણી કરતા રહેશે. અમે ત્યાં જઈને ભારત રત્ન જયપ્રકાશ નારાયણનું સન્માન કરવાનું કામ કરીશું. આ સરકાર બહેરી અને મૂંગી છે પરંતુ આજકાલ તે દેખતી પણ નથી. ખરા અર્થમાં આ એક વિનાશકારી સરકાર છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker