મહારાષ્ટ્ર

હર્ષવર્ધન પાટીલ એનસીપી-એસપીમાં જોડાયા, કહે છે કે સુપ્રિયા સુળેની જીતમાં તેમનો ગુપ્ત હાથ હતો, શરદ પવાર બિગ બોસ

પુણે: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા હર્ષવર્ધન પાટીલ, તેમની પુત્રી અંકિતા પાટીલ અને અન્યોએ તેમના વતન ઈન્દાપુરમાં એક ભવ્ય સમારોહમાં શરદ પવારની પાર્ટી (એનસીપી-એસપી)માં જોડાયા હતા.

પાટીલે તેમના ભાષણમાં શરદ પવારનો ઉલ્લેખ ‘બિગ બોસ’ તરીકે કર્યો હતો અને નોંધ્યું હતું કે મરાઠી બિગ બોસનો વિજેતા પણ મરાઠી છે. આ કાર્યક્રમમાં બોલતાં તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન ઈન્દાપુરમાં સુપ્રિયા સુળેને મળેલી નોંધપાત્ર લીડ પર બોલતાં કહ્યું હતું કે સુપ્રિયા સુળેની જીતમાં અમારો અદ્રશ્ય હાથ હતો.

પાટીલ તેમના સમર્થકો સાથે પક્ષપ્રમુખ શરદ પવાર, કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળે અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ દ્વારા એનસીપી (એસપી)માં ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થળની નજીકના પોસ્ટરોમાં પાટીલને ‘ભાવિ પ્રધાન’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જે ભાજપને માટે નોંધપાત્ર ફટકો માનવામાં આવે છે.

આ પણ વાંચો : શરદ પવાર માટે દુ:ખી છું: એનસીપી નેતા નિમ્બાલકર

ગયા શુક્રવારે હર્ષવર્ધન પાટીલે ભાજપ છોડી દીધી અને શરદ પવારની એનસીપી (એસપી) માં તેમના પદાધિકારીઓ અને સમર્થકો સાથે જોડાવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો હતો, જે પાર્ટીને ચૂંટણી પૂર્વે જુસ્સો આપે છે, જે મહા વિકાસ અઘાડી (એમવીએ) વિપક્ષી ગઠબંધનનો ભાગ છે.

‘આ ઈન્દાપુરના લોકો અને કાર્યકરોની ઈચ્છા છે. તમામ જાતિ અને ધર્મના લોકો એનસીપી(એસપી)માં જોડાવા ઈચ્છતા હતા, અને અમે તેમની ઈચ્છાઓનું સન્માન કરી રહ્યા છીએ, એમ પાટિલે ભાજપના ‘કમળ’ પ્રતીક છોડવાના નિર્ણયને સમજાવતા કહ્યું. એનસીપી (એસપી)નું ‘તુતારી ચિહ્ન હાથમાં લો. તેઓ ઇન્દાપુરથી પાર્ટીના ઉમેદવાર તરીકે સત્તાધારી પક્ષના વર્તમાન વિધાનસભ્ય દત્તાત્રય વી. ભારણે સામે ચૂંટણી લડી શકે છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker