ઇન્ટરનેશનલ

Hamasના ઈઝરાયેલ પર હુમલાને એક વર્ષ, ફરી ઇઝરાયલમાં આતંકી હુમલો, રોકેટ છોડાયા

તેલ અવીવ : હમાસે(Hamas)ઈઝરાયેલે પર કરેલા આતંકી હુમલાને 7 ઓકટોબરના રોજ એક વર્ષ પૂર્ણ થશે. જો કે પૂર્વે આજે ગાઝાથી ઈઝરાયેલમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા છે. આ પહેલા ઈઝરાયેલમાં રવિવારે પણ આતંકી હુમલો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે દસ લોકો ઘાયલ થયા હતા.

સમગ્ર ઈઝરાયેલમાં એલર્ટ

ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે ઉત્તરી ગાઝાથી દક્ષિણ ઈઝરાયેલમાં રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. ગત વર્ષે હમાસે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો નિર્દયતાથી માર્યા ગયા હતા અને ઘણાને બંધક બનાવવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર ઈઝરાયેલમાં એલર્ટ છે.

આ પણ વાંચો : Pager Attack : 9 વર્ષ પૂર્વે જ Mossad એ આ રીતે રચ્યો હતો પેજર બ્લાસ્ટનો સિક્રેટ પ્લાન

ઇઝરાયેલમાં આતંકવાદી હુમલો

રવિવારે, એક બંદૂકધારીએ ઇઝરાયેલના શહેર બેરશેબાના બસ સ્ટેશન પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 10 લોકો ઘાયલ થયા હતા. એમ્બ્યુલન્સ સેવાએ કહ્યું કે હુમલાખોર માર્યો ગયો છે. ઘટનાસ્થળ પરના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તેણે સૈનિકોને હુમલાખોર પર ગોળીબાર કરતા જોયો હતો. પોલીસે ગોળીબારને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. પરંતુ બંદૂકધારીની ઓળખ અંગે વધુ વિગતો આપી ન હતી.

ઇઝરાયલે મધ્ય ગાઝામાં એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો

ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઉત્તરી ગાઝા પટ્ટીથી ઇઝરાયલી વિસ્તારમાં ઘૂસતા કેટલાય રોકેટ મળી આવ્યા હતા. એક રોકેટ હવામાં અટકાવવામાં આવ્યું હતું. જ્યારે બાકીના ખાલી વિસ્તારોમાં પડ્યા હતા.આ અગાઉ ઇઝરાયલે મધ્ય ગાઝામાં એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હોવાનું પેલેસ્ટિનિયન અધિકારીઓએ જણાવ્યું હતું.

બંને હુમલાઓ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા.

ગાઝામાં થયેલા હુમલાએ એક મસ્જિદને હિટ કરી હતી જ્યાં વિસ્થાપિત લોકો મધ્ય શહેર દેર અલ-બાલાહની મુખ્ય હોસ્પિટલની નજીક આશ્રય લઈ રહ્યા હતા. શહેર નજીકના વિસ્થાપિત લોકોના એક શાળા આવાસ પર થયેલા અન્ય હુમલામાં વધુ ચાર લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે બંને હુમલાઓ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલના રેકોર્ડ દર્શાવે છે કે મસ્જિદ પર હુમલામાં માર્યા ગયેલા તમામ પુરુષો હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker