મનોરંજન

Aishwarya Rai-Bachchanની ડાયરીએ ખોલ્યા સિક્રેટ્સ, મારું દુઃખ એ…

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, પરંતુ આ બાબતે હજી કપલે કોઈ ચોંકાવનારો ખુલાસો કર્યો નથી. હવે આ બધા વચ્ચે ઐશ્વર્યા રાયની ડાયરીના કેટલાક પાનાએ તેની જિંદગીના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. ઐશ્વર્યાએ તેના જીવનના કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો હતો. ઐશ્વર્યાએ આ ડાયરીમાં પોતાના દુઃખ-દર્દ વિશે વાત કરી છે. આવો જોઈએ કયા દુઃખ વિશે વાત કરી છે ઐશ્વર્યા-

તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાની આ ડાયરી તેની સ્લેમ બૂક છે. ઐશ્વર્યાએ આ ડાયરીમાં પોતાની પસંદ-નાપસંદ વિશે જણાવ્યું છે. ઐશ્વર્યાએ આ સ્લેમ બૂકમાં જણાવ્યું છે તે હંમેશા ખોટા ઈરાદાવાળા લોકોથી દૂર રહે છે અને તે એમના લેવલ પર જઈને નીચે નથી જઈ શકતો.

આ પણ વાંચો :Jaya Bachchanને લઈને પૂછ્યો પર્સનલ સવાલ, Amitabh Bachchanએ આપ્યું આવું રિએકશન…

ઐશ્વર્યાએ પોતાની ડાયરીમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે તે એવા લોકોને જોઈને ચોંકી જાય છે કે જેઓ લોકો પર કિચડ ઉછાળવાનો એક મોકો નથી છોડતા અને આવું કરીને તેઓ ખુશ થઈ જાય છે. ઐશ્વર્યાએ એવું પણ લખ્યું હતું કે તેને જાહેરમાં કોઈના નામ પર બટ્ટો લગાડવાનું પસંદ નથી. હું મારા દુઃખને મારા સુધી જ સીમિત રાખવા માંગુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના ડિવોર્સના સમાચાર પર બચ્ચન પરિવારમાંથી કોઈએ કોઈ પણ ટિપ્પણી નથી કરી. ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની અફવાઓ ત્યારે વધારે તેજ બની ગઈ જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા અને બચ્ચન પરિવારે અલગ અલગ એન્ટ્રી લીધી હતી. જોકે, આ બધામાં કેટલાક એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં હજી સુધી એક ડિવોર્સ નથી થયા એટલે કદાચ અભિ-ઐશ પણ ડિવોર્સ નહીં લે…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત