મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પોરબંદર નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રાણલાલ પ્રભુદાસ ગોસલિયાના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૮) તે રેખાબેનના પતિ. ચિ. વિરલ, ચિ. જેસિકાના પિતા. ચિ. કવિતાના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નયનાબેન અને સ્વ. જ્યોત્સનાબેનના ભાઈ. સ્વ. કાંતિલાલ શિવલાલના જમાઈ. તા. ૨-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ કાંદિવલી નવીનચંદ્ર કાન્તીલાલ સુખલાલ ગોપાણીના ધર્મપત્ની. ઇન્દુમતી ગોપાણી તે અંકુરભાઇ, ભાવિનભાઇના માતુશ્રી. અમીબેન, જાસ્મીનબેનના સાસુ. મોરબી નિવાસી ગોરધનદાસ ભાઇચંદભાઇ મહેતાના દીકરી. જીતુભાઇ તથા જગદીશભાઇના બહેન. સ્વ. મનહરભાઇ, સ્વ. જશવંતભાઇ, કિશોરભાઇ, વિનુભાઇના ભાભી. તા. ૨-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર અને સાદડી પ્રથા બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર નિવાસી (જમશેદપુરવાળા) હાલ કાંદિવલી સ્વ. મોરારજી ઘેલાભાઇ ગાંધીના પુત્ર. મનમોહન ગાંધી (ઉં. વ. ૮૫) તા. ૩-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જે શોભના ગાંધીના પતિ. રૂપા કલ્પેશ મહેતાના પિતા. સ્વ. મનસુખભાઇ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. લલિતાબેન, ઇન્દુબેન, કોકીલાબેન, સ્વ.સરોજબેન તથા સ્વ. લતાબેનના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તીની પૂ. શ્રી શોભનાજી મહાસતીજીનો સંથારો તારીખ ૨/૧૦/૨૪ બુધવારના સીઝી ગયેલ છે. તેઓશ્રીની ગુણાનુવાદ સભા તા. ૪-૧૦-૨૪ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે સરદાર ઉપાશ્રયમાં રાખવામાં આવેલ છે. સંસારી માતા-પિતા : માતુશ્રી શકરીબેન નાગરદાસ સુખલાલ શાહ.

મોટા આસંબીયા ના જતીન (બચુભાઈ) છેડા (ઉં. વ. ૭૪) તા. ૨/૧૦ બુધવારના અવસાન પામેલ છે. મણીબેન આણંદજી શાહ(છેડા)ના સુપુત્ર. ચંદનબેનના પતિ. કુણાલ,તેજસના પિતા. સ્વ દિપક, સ્વ હર્ષાબેન, રજનીના ભાઇ. બિદડાના નાનબાઈ કાનજી ઉમરશી તથા લક્ષ્મીબેન ભવાનજી નાથાભાઈના જમાઈ. નિવાસ સ્થાન : ચંદનબેન છેડા, ૭, સોનલ એપાર્ટમેન્ટ, ૨ માડે, એન.એસ. રોડ ૧, જે વી પી ડી સ્કીમ, વિલે પાર્લે-વેસ્ટ.

લાખાપુર હાલે મદુરાઇના શાંતાબેન કેશવજી મારૂ (ઉં. વ. ૯૧) તા. ૧/૧૦/૨૪ના મોક્ષમાર્ગેે પ્રયાણ કરેલ છે. માતુશ્રી સ્વ. નાનબાઇ કાનજી મણશીના પુત્રવધુ. સ્વ. કેશવજીના પત્ની. મનહર, ભાવનાના માતુશ્રી. સમાઘોઘા સુંદરબેન ઠાકરશી તેજશી વોરાના સુપુત્રી. વસનજી કાંતિલાલ, વ્રજલાલ, અમૃતલાલ લક્ષ્મીના બહેન. નિ. મનહર મારૂ, ૯ અરિહંત સોસાયટી, ઐયર બંગલા, મદુરાઇ ૬૨૫૦૧૭.

કારાઘોઘાના માતુશ્રી દેમુબાઈ ઉર્ફે દિવાળીબેન દામજી છેડા (ઉં. વ. ૯૩) તા. ૨.૧૦.૨૦૨૪ ના અડાલજ મધ્યે દેહ પરિવર્તન કરેલ છે. દામજી ગાંગજીના પત્ની. વિનયચંદ, રોહિત, ભાવીનીના માતુશ્રી. દેશલપુર પાનબાઈ હીરા કોરશી દેઢીયાના સુપુત્રી. લક્ષ્મીબેન કેશવજી ઘેલા ગાલા, ફરાદ્રી દેવકાબેન કુંવરજી પુંજા સાવલા, રામાણીયા અમૃતબેન શીવજી લાલજી નાગડાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. – વિનયચંદ છેડા, બી-૫, સીમંધર સિટી, ત્રિમંદિર, અડાલજ, ગાંધીનગર, ગુજરાત પીન.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત