આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં મોદીની રેલી, મહાયુતિમાં શિંદેની સ્થિતિને મજબૂત હોવાનો પુરાવો

મુંબઈ: જાન્યુઆરી 2023માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવા માટે મુંબઈ આવ્યા, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની શિવસેનાની રાજનીતિનો એજન્ડા સેટ કરતાં અમે બધા મોદીના માણસો છીએ, એવી જાહેરાત કરી નાખી હતી. હવે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિંદેના ગઢ થાણેમાં રેલી સાથે મહારાષ્ટ્રની ચૂંટણી માટે મહાયુતિના અભિયાનની શરૂઆત કરશે, આનાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં એવો સંદેશ મોકલશે કે શિંદે મોદીના માણસોમાં છે.

શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે ભાજપે સરકાર બનાવી ત્યારે અગાઉ જે કહેવામાં આવતું હતું તેનાથી વિપરીત, એકનાથ શિંદેએ સાબિત કર્યું છે કે તેઓ કોઈના હાથની કઠપૂતળી નથી. ઓક્ટોબર 2014 પછી એટલે કે વડા પ્રધાન બન્યા પછી મોદીની થાણેની આ પ્રથમ મુલાકાત હશે. આ બધું શિંદેને દર્શાવવાની તક આપે છે કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહાયુતિની ચૂંટણી વ્યૂહરચનાનું નેતૃત્વ કરી શકે છે, ત્યારે તેઓ ચૂંટણી પ્રચારનો ચહેરો બની શકે છે, એમ એક રાજકીય વિશ્લેષકે જણાવ્યું હતું.

શહેરના પ્રથમ ભૂગર્ભ મેટ્રો કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવા માટે મોદી શનિવારે મુંબઈમાં હશે. થાણેમાં તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે, જ્યાં સ્થાનિક સેનાના નેતાઓ એક લાખથી વધુ લોકોને સમાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે.
થાણેમાં મોદીની આયોજિત રેલી એવા સમયે આવી છે જ્યારે મહાયુતિના ત્રણ મુખ્ય નેતાઓ મુખ્ય પ્રધાન શિંદે અને તેમના બે ડેપ્યુટીઓ ફડણવીસ અને અજિત પવાર વચ્ચે સત્તાની લડાઈ ચાલી રહી છે.

છેલ્લા ત્રણ મહિનામાં શરૂ કરાયેલી યોજનાઓને લઈને મહાયુતિના સાથી પક્ષો-શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે પણ જોરદાર ક્રેડિટ વોર ચાલી રહી છે.

શિંદેએ પીએમને થાણેમાં રેલી માટે આમંત્રણ આપવાની પહેલ કરી હતી. પરંતુ, તેનાથી આગળ, હકીકત એ છે કે મોદીએ આમંત્રણ સ્વીકાર્યું તે મહાયુતિમાં શિંદેના રાજકીય મહત્ત્વને દર્શાવે છે.

મોદીને મહારાષ્ટ્રમાં બીજે ક્યાંય પ્રચાર કરવા પહેલા તેમના મતવિસ્તારમાં બોલાવીને, મુખ્ય પ્રધાને તેમના બે સાથી પક્ષોને એક મજબૂત સંદેશ આપ્યો છે કે તેઓ ચૂંટણીમાં જઈ રહેલી સરકારનો ચહેરો છે. મોદીએ આમંત્રણ સ્વીકારવું એ મુખ્ય પ્રધાનના નેતૃત્વનું સમર્થન છે. ભાજપ પણ આ ચૂંટણીમાં તેના સાથી પક્ષોને, ખાસ કરીને શિંદેને સાથે રાખવાનું મહત્વ સમજે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત