નેશનલ

સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ સદગુરુને આપી મોટી રાહત, નિવૃત્ત પ્રોફેસરે લગાવ્યા ગંભીર આરોપ


નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ( Sadhguru’s Isha foundation) ને મોટી રહાત આપી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઈશા ફાઉન્ડેશન સામે તપાસ અંગે મદ્રાસ હાઈ કોર્ટ (Madras Highcourt)ના આદેશ પર રોક લગાવી દીધી છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સદગુરુ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. નોંધનીય છે કે મદ્રાસ હાઈ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓની ટીમે કોઈમ્બતુરમાં આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગ કેન્દ્રની તલાસી લીધી હતું. હવે આ કેસની આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે.

ઈશા ફાઉન્ડેશન સામેના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારે નોંધેલા તમામ કેસોની વિગતો આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે પોલીસને આપેલા નિર્દેશો પર અમે સ્ટે મૂકી દીધો છે. કોર્ટે કહ્યું કે આ ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દા છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર મામલો છે. સદગુરૂ ખૂબ જ આદરણીય છે. તેમના લાખો ફોલોઅર્સ છે. હાઈકોર્ટ મૌખિક દાવાઓ પર આવી તપાસ શરૂ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસને હાઈકોર્ટમાંથી પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધો છે.

પોલીસકર્મીઓ ઈશા ફાઉન્ડેશનની પરિસરમાં પ્રવેશ્યા:
મંગળવારે કોઈમ્બતુરમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઈશા ફાઉન્ડેશનની પરિસરમાં પ્રવેશ્યા હતાં . ઈશા ફાઉન્ડેશને હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે આ કેસની સુનાવણી કરી હતી.

આશ્રમમાં બ્રેનવોશ થઇ રહ્યું છે?
નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે અરજી દાખલ કર્યા પછી મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમની પુત્રીઓ ગીતા અને લતાને કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રમાં રહેવા માટે બ્રેઈનવોશ કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ફાઉન્ડેશન તેમને તેમના પરિવાર સાથે સંપર્ક રાખવા દેતું નથી.

ઈશા ફાઉન્ડેશનો જવાબ:
ઈશા ફાઉન્ડેશને આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે 42 અને 39 વર્ષની ઉંમરની બંને સ્વેચ્છાએ તેમના પરિસરમાં રહી હતી. બંને મહિલાઓને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી.

ઈશા ફાઉન્ડેશને એમ પણ કહ્યું હતું કે અરજદાર અને અન્ય લોકોએ ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના સભ્યો હોવાના બહાના હેઠળ પરીસરમાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.

ઈશા ફાઉન્ડેશને કહ્યું કે સંસ્થા મહિલાઓને ના તો બ્રહ્મચારી બનવાની હિમાયત કરે છે અથવા ના તો લોકોને લગ્ન કરવાનું કહે છે, કારણ કે આ વ્યક્તિગત પસંદગીઓ છે. ઈશા ફાઉન્ડેશનની સ્થાપના સદગુરુ દ્વારા લોકોને યોગ અને આધ્યાત્મિકતાના માર્ગ પર લાવવા માટે કરવામાં આવી હતી. અમે માનીએ છીએ કે પુખ્ત માનવીને પોતાનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા અને સમજ છે.

CJI ડીવાય ચંદ્રચુડે શું કહ્યું?
આજે આ મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે નોંધ્યું હતું કે ફાઉન્ડેશનના આશ્રમના એક ડૉક્ટર પર તાજેતરમાં POCSO એક્ટ હેઠળ બાળ શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તપાસ ચાલુ રાખવી જોઈએ. ઈશા ફાઉન્ડેશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે કથિત ઘટનાઓ તેના કેમ્પસમાં બની નથી.

ચીફ જસ્ટિસે નોંધ્યું કે, “પહેલી વાત એ છે કે તમે સંસ્થામાં પોલીસની ટીમને આવી રીતે ન મોકલી શકો… અમે ન્યાયિક અધિકારીને પરિસરની મુલાકાત લેવા અને આ બંને મહિલાઓ સાથે વાત કરવા માટે કહીશું.”

એક મહિલા વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર થઈ અને તેણે સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું કે તે આશ્રમમાં સ્વેચ્છાએ રહી રહી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે તેમના પિતા છેલ્લા આઠ વર્ષથી તેમને હેરાન કરી રહ્યા છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે બંને મહિલાઓ 24 અને 27 વર્ષની હતી ત્યારે તેઓ આશ્રમમાં જોડાઈ હતી અને સ્વેચ્છાએ ત્યાં રહે છે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે મહિલાઓની માતાએ આઠ વર્ષ પહેલા આવી જ અરજી દાખલ કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત