આપણું ગુજરાતગાંધીધામભુજ

ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસીટી ટ્રેન બંધઃ અનેક પ્રવાસી રઝળ્યાં

ભુજઃ કચ્છના વડા મથક ભુજથી અમદાવાદ વચ્ચે નવી સેમી હાઈસ્પીડ નમો ભારત રેપિડ ટ્રેનને વાજતે ગાજતે શરૂ કરવામાં આવતાં ભુજ-ગાંધીનગર ઈન્ટરસીટી ટ્રેન સેવાને આજથી વિધિવત્ રીતે સમાપ્ત કરી દેવામાં આવી છે. આ બાબતથી અજાણ અનેક પ્રવાસીઓ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને રઝળી પડ્યાં હતાં.

નવી ટ્રેન એક સરખા રૂટ અને સમયે શરૂ થતાં આ ટ્રેન સેવાનો ૧લી ઓક્ટોબરથી અંત આવી જવાની શક્યતા સેવાતી હતી જે સાચી પડી છે. છેલ્લે ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ માસ પૂરતી આ ટ્રેન સેવા વિસ્તારવામાં આવી હતી.
નવી કોર્પોરેટ કક્ષાની નમો ભારત ટ્રેનના ટિકિટ દરની તુલનાએ આ ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડું લગભગ અડધું અને જનરલ કોચનું ભાડું આમ જનતાના ખિસ્સાને પહોંચે એટલું માત્ર દોઢસો રૂપિયા હતું.

ગત ૭ એપ્રિલ ૨૦૨૩થી ભુજ અમદાવાદ (સાબરમતી) વચ્ચે સમર સ્પેશિયલ તરીકે ત્રણ માસ પૂરતી આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.ઉપયોગિતા અને લોકપ્રિયતા વધતાં દર ત્રણ મહિને આ ટ્રેનની મુદત લંબાતી રહેતી હતી. રેલવે યાર્ડની કામગીરીને અનુલક્ષીને થોડાંક માસથી આ ટ્રેન સાબરમતીના બદલે ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવી હતી.
આ બંધ કરી દેવામાં આવેલી ટ્રેન આગામી સમયમાં ભુજ-રાજકોટ વચ્ચે દોડાવાય તેવી શક્યતા હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત