સ્પોર્ટસ

અશ્વિને 11મો મૅન ઑફ ધ સિરીઝ (એમઓએસ) અવૉર્ડ જીતીને વિશ્વવિક્રમની કરી બરાબરી, મુરલીથી ક્યાંય ચડિયાતો છે

કાનપુર: ભારતે મંગળવારે બાંગ્લાદેશ સામે જીતેલી બીજી ટેસ્ટમાં ઑફ-સ્પિનર અને ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને કુલ પાંચ વિકેટ લઈને મહત્ત્વનું યોગદાન તો આપ્યું જ હતું, આખી સિરીઝમાં તેના જેવો અસરદાર પર્ફોર્મન્સ બીજા કોઈનો નહોતો અને એને કારણે જ તેને મૅન ઑફ ધ સિરીઝના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. આ અવૉર્ડ તેના માટે સૌથી સ્પેશિયલ કહી શકાય, કારણકે તેણે ટેસ્ટજગતમાં સૌથી વધુ 800 વિકેટ લેનાર શ્રીલંકાના ઑફ-સ્પિનર મુથૈયા મુરલીધરનના વિશ્વવિક્રમની બરાબરી કરી છે. એ તો ઠીક, પણ અશ્વિન 11ના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં મુરલીધરનથી ક્યાંય ચડિયાતો છે.

આ પણ વાંચો: IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા

અશ્વિને બાંગ્લાદેશ સામેની શ્રેણીના ચાર દાવમાં કુલ 11 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પણ એટલી જ વિકેટ લીધી હતી, પરંતુ અશ્વિને જુદી જ કમાલ બતાવી. તેણે પહેલી ટેસ્ટમાં યાદગાર સેન્ચુરી પણ ફટકારી હતી જે બદલ તેને મૅન ઑફ ધ સિરીઝના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો હતો.

અશ્વિને 11મી વાર ટેસ્ટમાં મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતી લીધો. તેણે ટેસ્ટના ઇતિહાસમાં સૌથી વધુ 11 વાર આ અવૉર્ડ જીતનાર મુરલીધરનની બરાબરી કરી છે.

આ પણ વાંચો: ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા

ખરી વાત એ છે કે મુરલીધરને આ અગિયાર અવૉર્ડ 60 ટેસ્ટ-સિરીઝમાં મેળવ્યા હતા, જ્યારે અશ્વિન માત્ર 39 ટેસ્ટ-સિરીઝમાં 11 વાર મૅન ઑફ ધ સિરીઝ પુરસ્કાર વિજેતા બન્યો છે.

ટેસ્ટમાં કોના કેટલા મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ?

પ્લેયર અવૉર્ડ
મુરલીધરન11
આર. અશ્વિન11
જૅક કૅલિસ8
શેન વૉર્ન8
ઇમરાન ખાન8
રિચર્ડ હેડલી8
R Ashwin equals Muralitharan’s world record
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત