ઇન્ટરનેશનલ

નેતન્યાહુએ આ દેશોને ગણાવ્યા વિશ્વ માટે વરદાન અને શાપરૂપ દેશો: ભારતનો પણ કર્યો ઉલ્લેખ….

ન્યુયોર્ક: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીમાં જોરદાર રીતે પોતાની વાત રાખી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે બે નકશા બતાવતા કહ્યું હતું કે એક નકશો આખી દુનિયા માટે વરદાન છે, જ્યારે બીજો નકશો શ્રાપ છે; જો કોઈને લાગે કે આ માત્ર ઈઝરાયલ માટે છે, તો તેમણે ફરીથી વિચાર કરવો જોઈએ કારણ કે આ સમગ્ર વિશ્વ માટે છે. આ શ્રાપના મૂળમાં રહેલું ઈરાન દુનિયાની સામે મસીહા બનવાની કોશિશ કરી રહ્યું છે, પોતાના દેશમાં સતત અત્યાચાર કરે છે અને અનેક આતંકવાદી સંગઠનોને રક્ષણ આપે છે.

આ પણ વાંચો: ‘ઇઝરાયલ માનવ અધિકારોનું ઉલંઘન કરી રહ્યું છે…’, બ્રિટને આપ્યો નેતન્યાહુને મોટો ઝટકો

હાલ તો હમાસ અને હિઝબુલ્લા સાથે વેર વારવા માટે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલના વડા પ્રધાને ઈરાનને ધમકી આપતા કહ્યું કે હું તેહરાનમાં બેઠેલા સરમુખત્યારોને કહેવા માંગુ છું કે જો તેઓ ઈઝરાયલ પર હુમલો કરશે તો તેમને ભયંકર જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ