આમચી મુંબઈ

મુંબઈમાં 2-BHK ફ્લેટની માગણી વધુ, આલિશાન ઘરોનું રેકોર્ડ બ્રેક વેચાણ

મુંબઈ: છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈમાં આલિશાન ઘરની માગણીમાં વધારો થયો છે ત્યારે બીજી તરફ મિડલ ક્લાસ અને હાઇ ક્લાસ સેકશન તરફથી ટુ-બીએચકે ઘરને વધુ પસંદગી આપવામાં આવી રહી હોવાનું જણાયું છે. આ વર્ષે ઘર ખરીદીમાં ૫૭ ટકા લોકોએ ટુ-બીએચકેના ફ્લેટ ખરીદ્યા હોવાનું એક સર્વેક્ષણમાં જણાયું છે. મુંબઈ શહેરમાં આ વર્ષે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌથી વધુ ૧૨,૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જેના હેઠળ ૨,૦૦૦ ચોરસ ફૂટ અથવા તેનાથી વધુ એરિયાના ઘર બનાવવામાં આવ્યા છે.

ટુ-બીએચકેના ઘરની માગણી કેમ વધી?

  • કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમ કરવાનું હોવાથી લોકોને વધુ મોટા ઘરની જરૂર પડવા લાગી.
  • લોકોની માગણીને ધ્યાનમાં રાખીને બિલ્ડરોએ પણ તેમના પ્રોજેક્ટમાં ટુ-બીએચકેના વધુ ફ્લેટ બનાવવાનું શરૂ કર્યું.
  • હાલના સમયમાં વન-બીએચકેના ફ્લેટ બનવાનું બંધ થઇ ગયું છે, તેથી લોકો ટુ-બીએચકેના ફ્લેટ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
    ઘરની કિંમતમાં પણ વધારો?
  • મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં ટુ-બીએચકેના ફ્લેટ પચાસ લાખ રૂપિયાથી લઇને એક કરોડ રૂપિયા અથવા તેનાથી પણ વધુ ભાવના છે.
  • પૂર્વ ઉપનગરમાં આવા ફ્લેટની કિંમત પચાસ લાખ રૂપિયાથી ૮૦ લાખ રૂપિયા સુધીની છે. લોકો પોતાના વન-બીએચકેના ફ્લેટ વેચીને ટુ-બીએચકે ફ્લેટ ખરીદી રહ્યા હોવાનું સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે.
  • પશ્ચિમ ઉપનગરમાં કાંદિવલી, મલાડ, બોરીવલી, મીરા રોડમાં લોકો વધુ ખરીદી કરી રહ્યા છે.
    છ મહિનામાં અઢી હજાર આલિશાન ઘરનું વેચાણ
    ટુ-બીએચકે ઘરનું વેચાણ ભલે વધુ હોય, પણ જે ઘરની કિંમત ચાર કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ છે એવા ૨,૫૦૦ ઘરનું વેચાણ પણ મુંબઈમાં થયું છે
Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…