નેશનલ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા

રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2

નવી દિલ્હીઃ આજે દિલ્હી એનસીઆર, નોઈડામાં બપોરે 2.51 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં સર્જાયેલા આ ભૂકંપના કારણે ભારતના અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકો પોતાની ઓફિસમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. લોકોએ પહેલી વાર 4.6ની તીવ્રતાના અને બીજી વખત 6.2ની તીવ્રતાના આંચકા અનુભવ્યા. પ્રથમ વખત આ ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ સર્જાયો હતો. બીજી વખત આ ભૂકંપ 5 કિલોમીટરની ઉંડાઈએ સર્જાયો હતો.


નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળમાં આજે બપોરે 2.25 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ સમયગાળા દરમિયાન કેટલીક પ્લેટો અન્યથી દૂર ખસી જાય છે અને કેટલીક અન્યની નીચે સરકી જાય છે. આ સમય દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ સમગ્ર દેશને પાંચ ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યો છે. દેશનો 59 ટકા વિસ્તાર ભૂકંપના જોખમના ક્ષેત્રમાં આવે છે. ભારતમાં પાંચમો ઝોન સૌથી ખતરનાક અને સક્રિય માનવામાં આવે છે. સૌથી ખતરનાક ઝોનમાં જમ્મુ અને કાશ્મીર (કાશ્મીર ખીણ), હિમાચલ પ્રદેશનો પશ્ચિમ ભાગ, ઉત્તરાખંડનો પૂર્વ ભાગ, ગુજરાતમાં કચ્છનો રણ, ઉત્તરનો ભાગ, બિહાર, ભારતના તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યો, આંદામાન અને નિકોબાર ટાપુઓ સામેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત