ધર્મતેજનેશનલ

તિરુપતિ બાલાજીની આંખો કેમ બંધ રહે છે? રહસ્ય જાણીને તમારા હોશ ઉડી જશે

હાલમાં દેશમાં તિરૂપતિના મંદિરમાં પ્રસાદરૂપે આપવામાં આવતા લાડુણાં પ્રાણીની ચરબી મેળવી હોવાનો વિવાદ વકર્યો છે, જેને કારણે તિરૂપતિ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. એવા સંજોગોમાં આપણે પણ તિરૂપતિના મંદિર વિશે કેટલીક જાણી અજાણી અદભૂત વાતો જાણીએ.

આપણા દેશમાં કેટલા એવા મંદિરો છે જે ખૂબ જ લોકપ્રિય છે અને તેનું મહત્વ પણ છે. તિરુપતિ બાલાજી મંદિર એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ યાત્રાધામોમાંનું એક છે. આ મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે, જેને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. તિરુપતિ તિરુમાલા મંદિર તેના ચમત્કારો માટે જાણીતું છે. આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે, ત્યારે એક રસપ્રદ વાર્તા ભગવાન વેંકટેશ્વરની ઢંકાયેલી આંખોની છે. શું તમે જાણો છો કે તિરુપતિ બાલાજીની અંદરની મૂર્તિને આંખોને કેમ ઢાંકવામાં આવે છે? જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે તેની પાછળ એક રહસ્ય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આધુનિક યુગમાં ભગવાન વેંકટેશ્વરનો તિરુપતિ તિરુમાલા મંદિરમાં નિવાસ માનવામાં આવે છે. ભગવાન વેંકટેશ્વર તેમની શક્તિશાળી અને તેજસ્વી આંખો માટે જાણીતા છે. તેમની આંખોનું તેજ એટલું બધુ છે કે ભક્તો સીધા ભગવાનની આંખોમાં જોઈ શકતા નથી. કારણ કે તેની આંખો કોસ્મિક એનર્જીથી ભરેલી છે. આ કારણોસર, ભગવાન વેંકટેશ્વરની આંખો સફેદ માસ્કથી બંધ રાખવામાં આવી છે, પરંતુ દર ગુરુવારે તેમની આંખો પરથી સફેદ માસ્ક બદલવામાં આવે છે. તે દરમિયાન તમામ ભક્તો એક ક્ષણ માટે દેવતાની આંખોના દર્શન કરી શકે છે.

તિરુપતિ બાલાજી સાથે ઘણા ચમત્કારો જોડાયેલા છે જે તેમની કીર્તિને વધારે છે. તેમની આંખો માત્ર ચમકદાર જ નથી, પરંતુ તેમની આંખોનું તેજ અદભૂત છે. આવી પ્રખર તેજવાળી આખેને ભક્તો સીધા જોઈ શકતા નથી. આ કારણે તેમની આંખો હંમેશા ઢંકાયેલી રહે છે. તેથી જ તેમની આંખો કપૂરથી ઢંકાયેલી રાખવામાં આવી છે.

ગુરુવારે જ આંખો પરથી સફેદ કપૂર દૂર કરવામાં આવે છે. પછી ભક્ત એક ક્ષણ માટે તેની આંખો જોઈ શકે છે. આ સિવાય દર ગુરુવારે તિરુપતિ બાલાજીને ચંદનનો લેપ કરવામાં આવે છે. જ્યારે આ પેસ્ટને હૃદયની નજીક લગાવવામાં આવે છે, ત્યારે ત્યાં દેવી લક્ષ્મીની છબી બનતી જોવા મળે છે.

તિરુપતિ બાલાજી માટે દરરોજ 100 ફૂટ લાંબી માળા બનાવવામાં આવે છે. તેમની માટે 27 પ્રકારની અલગ અલગ માળા બનાવવામાં આવે છે અને પહેરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તમામ માળા અલગ-અલગ બગીચાઓમાંથી લાવવામાં આવે છે. બ્રહ્મોત્સવ અને વૈકુંઠોત્સવ નિમિત્તે વિદેશથી પણ ફૂલો મંગાવીને માળા બનાવવામાં આવે છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…