નેશનલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું મોદી સરકારના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ, જાણો શું કહ્યું…

નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થયા છે. (PM Modi 100 Days Report Card)આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. દેશભરમાં ઘણી સંસ્થાઓએ તેમના જન્મદિવસને સેવા પખવાડિયું તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધીના 15 દિવસ સુધી અમારા જેવા અનેક કાર્યકરો દેશભરમાં જરૂરિયાતમંદોની સેવામાં રોકાયેલા રહેશે.

આ પણ વાંચો : ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય-મુખ્યમંત્રી પટેલ

વડાપ્રધાનનું જ નહીં પરંતુ દેશનું પણ ગૌરવ વધ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીનો જન્મ નાનકડા ગામના ગરીબ પરિવારમાં થયો અને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન બન્યા છે. છેલ્લા 10 વર્ષમાં દુનિયાના 15 અલગ-અલગ દેશોએ પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આનાથી માત્ર વડાપ્રધાનનું જ નહીં પરંતુ દેશનું પણ ગૌરવ વધ્યું છે.

લગભગ 15 લાખ કરોડના પ્રોજેક્ટ 100 દિવસમાં શરૂ થયા

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 60 વર્ષ પછી પહેલીવાર દેશમાં રાજકીય સ્થિરતાનું વાતાવરણ જોવા મળ્યું છે અને અમે નીતિઓની સાતત્યતાનો પણ અનુભવ કર્યો છે. 10 વર્ષ સુધી નીતિઓની દિશા, નીતિઓની ગતિ અને નીતિઓના સચોટ અમલીકરણને જાળવી રાખ્યા પછી 11મા વર્ષમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે.

શાહે કહ્યું કે ત્રીજી ટર્મના 100 દિવસ પૂરા થઈ રહ્યા છે. આ 100 દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

અમિત શાહે કહ્યું કે મેં આ 100 દિવસોને 14 ભાગોમાં વહેંચ્યા છે. જ્યાં સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સવાલ છે, અમે 100 દિવસમાં 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્રના વઘવાણમાં રૂ. 76 હજાર કરોડના ખર્ચે મેગા પોર્ટ બનાવવામાં આવશે. જે પ્રથમ દિવસથી જ વિશ્વના ટોચના 10 મોટા બંદરોમાં સામેલ થશે.

25 હજાર ગામોને પાકા રસ્તાથી જોડવાની યોજના શરૂ

અમિત શાહે કહ્યું કે 49 હજાર કરોડના ખર્ચે 25 હજાર ગામડાઓને પાકા રસ્તાઓથી જોડવાની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના 100 લોકોની વસ્તી ધરાવતા ગામોને પણ જોડશે. મોદી સરકારે 50,600 કરોડના ખર્ચે ભારતના મુખ્ય રસ્તાઓનું વિસ્તરણ કરવાનું પણ નક્કી કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમે વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ, પશ્ચિમ બંગાળમાં બાગડોગરા, બિહારમાં બિહટા એરપોર્ટ અને અગતી અને મિનિકોયમાં નવી એરસ્ટ્રીપ્સનું નિર્માણ કરીને પર્યટનને પ્રોત્સાહન આપવા આગળ વધ્યા છીએ. અમે આ 100 દિવસમાં બેંગલુરુ મેટ્રો, પુણે મેટ્રો, થાણે ઈન્ટિગ્રેટેડ રિંગ મેટ્રો અને અન્ય ઘણા મેટ્રોના પ્રોજેક્ટ્સને આ 100 દિવસમાં આગળ ધપાવ્યા છે.

એગ્રી શ્યોર નામનું નવું ફંડ પણ લોન્ચ કર્યું

અમિત શાહે કહ્યું કે, કૃષિ ક્ષેત્રે પીએમ કિસાન સન્માન યોજનાના 17મા હપ્તામાં 9.5 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 12 કરોડ 33 લાખ ખેડૂતોને કુલ 3 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. અમે બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે અને ડુંગળી પરની નિકાસ જકાત 40 ટકા થી ઘટાડીને 20 ટકા કરી છે. અમે એગ્રી શ્યોર નામનું નવું ફંડ પણ લોન્ચ કર્યું છે.

પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત

અમિત શાહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે અને તેમણે સમગ્ર વિશ્વમાં ભારતને પ્રતિષ્ઠા અપાવી છે. 15 દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું છે. હવે દેશ પાસે મજબૂત વિદેશ નીતિ છે.

અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ

તેમણે ઉમેર્યું કે, આ 100 દિવસમાં મધ્યમ વર્ગને ઘણી રાહતો આપવામાં આવી છે. 12 કરોડ 31 લાખ ખેડૂતોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયા આવ્યા છે. 76 હજાર કરોડના ખર્ચે મેગા પોર્ટ પણ બનાવવામાં આવશે. ડુંગળી પરની નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શાહે એમ પણ કહ્યું કે અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.

કેન્દ્ર સરકારે હજારો નવી નિમણૂકોની જાહેરાત કરી

અમિત શાહે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો અને ઈ-બસ યોજનાને મંજૂરી આપવાની વાત કરી હતી. MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે અનેક હજાર નવી નિમણૂકોની જાહેરાત કરી છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…