નેશનલ

જેલમાંથી છૂટયા બાદ કેજરીવાલનું નિવેદન “મારી લડાઈ રાષ્ટ્રવિરોધી તત્વોની સામે…

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જેલવાસ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આખરે પૂરો થયો છે અને આજે જેલમાંથી બહાર આવ્યા છે. મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે AAP કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તેઓ સાચા છે અને તેથી ભગવાને તેમનો સાથ આપ્યો. તેણે કહ્યું, જેલમાંથી બહાર આવ્યા બાદ મારી તાકાત 100 ગણી વધી ગઈ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારું જીવન દેશને સમર્પિત છે. મારી દરેક ક્ષણ દેશને સમર્પિત છે. મેં જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા છે અને ઘણું સહન કર્યું છે. જીવનમાં ખૂબ મુશ્કેલીઓ વેઠી છે. પરંતુ ભગવાને મને દરેક પગલે સાથ આપ્યો છે. ભગવાને મારો દરેક પગલે સાથ આપ્યો છે કારણ કે હું સત્યના પક્ષે હતો. જે લોકોએ મને જેલમાં ધકેલી દીધો એ એવું માનતા હતા કે અમે તૂટી જઈશું.

તેમણે કહ્યું હતું કે આજે હું તમને કહેવા માંગુ છું કે હું જેલમાંથી બહાર આવ્યો છું. મારી શક્તિ સો ગણી વધી ગઈ છે. તેમની જેલની જાડી દીવાલો અને સળિયા કેજરીવાલની હિંમતને નબળી કરી શકે તેમ નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જે રીતે ભગવાને મને આજ સુધી માર્ગ બતાવ્યો છે તેમ ભવિષ્યમાં પણ તે મને માર્ગ બતાવતો રહે.

સાથે જ તેમણે કહ્યું હતું કે ‘હું દેશની સેવા કરવા માંગુ છું. એવી કેટલીય રાષ્ટ્રવિરોધી શક્તિઓ છે જે દેશના વિકાસને રોકી રહી છે, જે દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે, જેઓ દેશને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે. આખી જિંદગી તેમની સામે લડ્યો છું અને ભવિષ્યમાં પણ આવી રીતે લડતો રહીશ.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…