મનોરંજન

ફિલ્મ રામાયણ સાથે જોડાયું Amitabh Bachchan નું નામ, પણ સ્ક્રીન ફિઝિકલી નહીં જોવા મળે…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની ચર્ચા ચાલી રહી છે. દર્શકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી બંને બોલીવૂડના મહત્વના ગણાતા પ્રોજેક્ટમાંથી એક એવી આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોકે, મેકર્સે હજી પણ ફિલ્મની કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી. પરંતુ એક્ટર્સના ઈન્ટરવ્યુઝ અને સેટના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે. હવે આ ફિલ્મને લઈને જ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : ગણેશ ચતુર્થીના દિવસે Amitabh Bachchan બની ગયા મોટીવેશનલ સ્પીકર, કહી આટલી સરસ વાત

મળી રહેલી માહિતી પ્રમાણે ફિલ્મમાં રણબીર કપૂરનો ડબલ રોલ હશે જ્યારે અમિતાભ બચ્ચન જટાયુના કેરેક્ટરને પોતાનો અવાજ આપશે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં તો સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. હવે લેટેસ્ટ ઈન્ફોર્મેશનમાં રણબીર કપૂર રામની સાથે સાથે પરશુરામનો રોલ પણ કર્યો હતો.

સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો રામાયણમાં જ્યારે શ્રીરામે ભગવાન શિવનું ધનુષ તોડ્યું ત્યારે પોતાના ગુસ્સા માટે જાણીતા પરશુરામ ત્યાં આવી પહોંચ્યા હતા. હિંદુ માઈથોલોજીમાં રામ અને પરશુરામ બંને જ ભગવાન વિષ્ણુનો અવતાર છે. રામની કથામાં પરશુરામનો રોલ ભલે નાનો હોય પણ ખૂબ જ મહત્ત્વનો છે. પરશુરામથી ભગવાન રામનો રોલ ખૂબ જ અલગ હશે અને આ લૂકમાં રણબીરને ઓળખવો પણ મુશ્કેલ બની જશે.

આ પણ વાંચો : 13 વર્ષ જૂના Amitabh Bachchanના નિર્ણયને કારણે પડ્યું જલસામાં ભંગાણ?

રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ બે પાર્ટમાં બની રહેલી ફિલ્મ રામાયણનો ભાગ બનશે. જોકે, તેઓ ખુદ ફિઝિકલી સ્ક્રીન પર નહીં જોવા મળે, કારણ કે તેઓ જટાયુના કેરેક્ટરને પોચાનો અવાજ આપશે. આ કેરેક્ટરને પડદા પર વીએફએક્સની મદદથી ક્રિયેટ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં એવો દાવો કર્યો હતો કે 100 મિલિયન ડોલર એટલે કે આશરે 800 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફિલ્મ માટે રાખવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી