રાશિફળસ્પેશિયલ ફિચર્સ

72 કલાક બાદ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરને કારણે અનેક શુભાશુભ યોગની રચના થાય છે, જેની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર જોવા મળે છે. પરંતુ આ બધામાં ષડાષ્ટક યોગને શુભ યોગ નથી ગણવામાં આવતો, તેમ છતાં આ યોગની અસર કેટલીક રાશિઓ માટે ખૂબ અનુકૂળ સાબિત થાય છે. આમ તો તમામ ગ્રહો અવારનવાર ષડાષ્ટક યોગ બનાવે છે, પરંતુ આ બધામાં શુક્ર અને શનિ એવા બે ગ્રહો છે, જેમનો પ્રભાવ વ્યાપક તો છે જ પણ એની સાથે સાથે તેની અસર લાંબો સમય સુધી જોવા મળે છે. ત્રણ દિવસ બાદ એટલે કે 11મી સપ્ટેમ્બર, 2024ના રોજ શુક્ર અને શનિ ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે, જેની ત્રણ રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળશે.

પરંતુ એ પહેલાં ષડાષ્ટક યોગ શું છે એની તો જ્યારે પણ કોઈપણ બે ગ્રહો એકબીજાથી 150 અંશના અંતરે આવે છે ત્યારે આ ષડાષ્ટક યોગનું નિર્માણ થાય છે. અહીંયા તમારી જાણ માટે કે આ યોગ ભલે થોડા સમય માટે જ બને છે, પણ એની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.

ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ:

મેષ: મેષ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં શુક્ર-શનિના આ ષડાષ્ટક યોગની અસરને કારણે વૃદ્ધિ જોવા મળશે. આ રાશિના જાતકો પડકારોનો સામનો કરવા તત્પર રહેશે. આવકના નવા નવા સ્ત્રોત ખુલી શકે છે. આકસ્મિક આર્થિક લાભ થવાની શક્યતા છે. નોકરીમાં તમારા કામના વખાણ થશે. વેપારમાં વિસ્તરણની નવી તકો મળી શકે છે. નફો વધતા તમારી ખુશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે અને પરીક્ષામાં સારા પરિણામ મળશે. સંબંધઃ પરિવારના સભ્યો સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે. લવ લાઈફ સારી રહેશે.

| Also Read: આજનું રાશિફળ (08-09-24): આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ હશે Goody Goody, થશે ધનલાભ…

કન્યા: આ રાશિના જાતકો પર પણ શુક્ર-શનિના ષડાષ્ટક યોગની સકારાત્મક અસર જોવા મળશે. આ રાશિના લોકો વધારે સરળતાથી સમસ્યાઓનો ઉકેલ શોધી શકશે. લેખન, સંદેશાવ્યવહાર અથવા વ્યવસાય સાથે સંબંધિત કામથી આવક વધવાના યોગ બની રહ્યા છે. નોકરીમાં તમને નવી તકો મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. નવા ગ્રાહકો મળશે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે. પ્રેમ જીવનમાં પરસ્પર વિશ્વાસ વધશે.

મકર: શુક્ર-શનિના ષડાષ્ટક યોગની અસરથી મકર રાશિના લોકો જીવનમાં શિષ્તના આગ્રહી બનશે. આ રાશિના જાતકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. કામના સ્થળે પ્રમોશન મળશે. નવી તકોના કારણે વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળવાની પ્રબળ સંભાવના છે. માતા-પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી જોવા મળશે.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…