તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને

આજથી દસ દિવસ ગણેશજીની પૂજા વિધિ કરવામાં આવશે અને તેમને ભાવતા ભોજનો ધરવામાં આવશે

બાપ્પાને લાડુ ને મોદક તો બહુ વ્હાલા છે, પણ તમે તમારી રાશિ અનુસાર તેમને પ્રસાદ ચડાવશો તો ગણપતિને વધારે ભાવશે અને તે આશીર્વાદ આપશે

મેષઃ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે લાડુ ચઢાવવા જોઈએ.

વૃષભ અને મિથુનઃ  ગજાનનને મોદક અર્પણ કરવા જોઈએ.

સિંહઃ આ દિવસે પીળી બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ.

કન્યા: બાપ્પાને કેસરી રંગના લાડુ ચઢાવવા જોઈએ.

તુલા: મોદક અને રસમલાઈ ચઢાવવી શુભ માનવામાં આવે છે.

ધનુ: ગણપતિને કેસરની બનેલી ખીર ચઢાવવી જોઈએ.

મકર: સફેદ રંગની મીઠાઈ ચડાવી શકાય અને સાથે એક ફળ પણ મૂકવું

કુંભ: ગણેશજીને ચણાના લોટના લાડુ ચઢાવવા જોઈએ.

મીનઃ- ગણેશને પ્રસન્ન કરવા માટે પીળા રંગની મીઠાઈઓ ચઢાવવી જોઈએ.