અમરેલીઆપણું ગુજરાત

કળિયુગમાં આવું થશે તે કોઈએ વિચાર્યુ હતું? બચકાં ભરીને દાદીએ પૌત્રની હત્યા કરી

અમરેલીઃ કળિયુગ એટલે અણધાર્યુ અને અવિચારી થાય, માનવામાં ન આવે તેવું થાય તેમ આપણે માનીએ છીએ. ઘણી એવી ઘટનાઓ બન છે જે હૃદયને કંપાવી દે છે છતાં આપણે કહીએ છીએ કળિયુગમાં થાય તેટલુ ઓછું, પણ અમરેલીમાં બનેલી ઘટના લગભગ આપણા વિચારોમાં પણ નહીં હોય. દાદી કે નાની ઘણીવાર નાના છોકરાઓને માર મારે તેવી ઘટનાઓ બનતી રહે છે, પણ અહીં દાદીએ પોતાના જ લોહીને બચકાં ભરી ભરીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘૃણાસ્પદ ઘટના બની છે.

અમરેલીના રાજસ્થળી ગામ નજીક રહેણાક મકાનમાં બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. ફરિયાદના પગલે પોલીસની તપાસમાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપી દાદીને ઝડપી પાડી છે.
એક વર્ષના માસૂમ બાળક અલીરજાક રફીક સેયદની બચકાં ભરેલી હાલમાં લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી અને લાશને Bhavnagar પૉસ્ટમોર્ટ્મ માટે પહોંચાડી હતી.

ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ આવતા બાળકને માર માર્યાના કારણે મોત થયું હોવાનુ ખુલ્યુ હતું. જેથી જિલ્લા પોલીસવડા દ્વારા સ્થાનિક પોલીસને કડક સૂચના આપતા અમરેલી તાલુકા પીએસઆઈ જાતે જ ફરિયાદી બની બાળકનાં દાદી આરોપી કુલસમબેન સેયદ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં બાળક જોર જોરથી રડવા લાગતા દાદી કુલસમબેને તેને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યો હતો.

પરંતુ બાળક રડવાનું બંધ નહીં કરતા દાદીને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો. પોતાના ગુસ્સા પર કાબૂ ન રહેતા દાદીએ પૌત્ર અલીરઝાકના જમણા ગાલ ઉપર તેમજ જમણી આંખની ઉપર કપાળના ભાગે તેમજ હાથે અને પગમાં જોરથી બચકાં ભર્યાં હતાં. આ ઉપરાંત બાળકને જોરદાર માર પણ માર્યો હોવાની કબુલાત કરી હતી. જેથી બાળકનું મોત થયું હતું.

પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની દાદીની ધરપકડ કરી છે.
બાળકના માતા-પિતા વિશે માહિતી મળી શકી નથી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?