આપણું ગુજરાત

હવે ૩૧મી ડિસેમ્બર સુધી દોડશે ભુજ-સાબરમતી ઇન્ટરસિટી


અમદાવાદ- ભુજ વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેનની મુદત શનિવારે સમાપ્ત થવાની હતી જો કે આગામી નવરાત્રી અને દિવાળી પર્વની રજાઓ આવતી હોઈ મુસાફરોની માંગણીને સ્વીકારી રેલવે વિભાગે આ ટ્રેનને આગામી ૩૧મી ડિસેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય લેતાં નવરાત્રી-દિવાળી સહિતના તહેવારો અને કચ્છને વૈશ્વિક ક્ષેત્રે પ્રવાસનમાં નામના અપાવનારો રણોત્સવ શરૂ થવાનો હોઇ ભુજ-અમદાવાદ વચ્ચે અવર જવર કરવામાં પ્રવાસીઓને સરળતા ઉભી થશે.
આ ઉપરાંત ભુજ સાબરમતી સાથે પશ્ચિમ રેલવે દ્વારા અલગ-અલગ ૧૦ જેટલી ટ્રેનોના રૂટ લંબાવામાં આવ્યા છે. જેનો પ્રવાસીઓને લાભ મળશે. અલબત્ત આ ઇન્ટરસીટી ટ્રેનને કાલુપુર સ્ટેશન સુધી દોડાવવાની લાંબા સમયની માગ સંતોષાઇ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…