ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?

મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનો પસંદ કરે છે. તમને પણ જો આ ગમતું હોય ત્યાં સમાચાર તમારા માટે છે

અમે તમને કેવી ટ્રેન વિશે જણાવીશું જેના દ્વારા તમે આખા ભારતની યાત્રા કરી શકો છો

આ ટ્રેન યાત્રાનું નામ જાગૃતિ યાત્રા છે. આમાં બુકીંગ, ભાડુ અને યાત્રા કરવાની વિગતો જાણીએ

આ ટ્રેન તમને નવેમ્બરમાં ભારતના પ્રવાસ પર લઈ જશે. આ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

આ એક વાર્ષિક ટ્રેનયાત્રા છે, જેમાં દેશભરના 500 યુવાનોને 15 દિવસમાં 15-20 સ્થળોએ લઈ જવાશે.

દિલ્હીથી શરૂ થનારી આ ટ્રેનનું પ્રથમ સ્ટોપ અમદાવાદ રહેશે. ટ્રેન મુંબઈ, બેંગલુરુ મદુરાઇ અને વાઇઝેક થઈને દિલ્હી ફરત ફરશે

આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારી ઉંમર 21 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યાત્રા 16 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે

આ લિંક https://www.jagritiyatra.com પર જઇને નોંધણી કરાવી શકો છો. આમાં મલ્ટી લેવલ સિલેક્શન પ્રક્રિયા બાદ યુવાનોની પસંદગી કરવામાં આવે છે

આ પ્રવાસની ટિકિટ માત્ર 25 રૂપિયા રાખવામાં આવી છે. આ વર્ષે જાગૃતિ યાત્રા માટે તમે 15 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકો છો