આમચી મુંબઈ

મુંબઈને કરાશે ‘રૅબીઝ-મુક્ત’ ૨૮ સપ્ટેમ્બરથી ‘રૅબીઝ-મુક્ત’ અભિયાન હેઠળ મુંબઈમાં રસીકરણ થશે

સ્કૂલ, કોલેજ અને હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શ્ર્વાન કરડવાથી થતા જીવલેણ રૅબીઝ રોગથી બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા સમગ્ર મુંબઈમાં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ‘રૅબીઝ-મુક્ત’ ઝુંબેશ અમલમાં મૂકવાની છે, જે હેઠળ મુંબઈ મહાનગરમાં શ્ર્વાનનાં રસીકરણ કરવામાં આવવાનું છે. તેમ જ રૅબીઝ બાબતે ઠેક-ઠેકાણે જનજાગૃતિ ઝુંબેશ પણ અમલમાં મૂકવામાં આવવાની છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ૨૦૩૦ની સાલ સુધીમાં ભારતને ‘રૅબીઝ-મુક્ત’ કરવા માટે નેશનલ એક્શન ડ્રાફ્ટ અમલમાં મૂક્યો છે, જે હેઠળ સુધરાઈએ ૨૦૨૨માં ‘મુંબઈ રૅબીઝ નિર્મૂલન પ્રોજેક્ટ’ હાથ લીધો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ‘વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસેસ-મિશનલ રૅબીઝ’ સાથે મળીને સુધરાઈએ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૮થી રખડતા શ્ર્વાનના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવાની છે.

રસીકરણની સાથે જ આ બાબતે જનજાગૃતિ પણ કરવામાં આવવાની છે. હાઉસિંગ સોસાયટી, સ્કૂલ, ક્ધસ્ટ્રકશન સાઈટ જેવા સ્થળોએ પહોંચીને પ્રાણી સંદર્ભના કાયદા અને નિયમો બાબતે જનજાગૃતિ કરવામાં આવવાની છે. ઑગસ્ટમાં ૬૫ સ્કૂલમાં લગભગ ૧૩,૩૩૨ વિદ્યાર્થીઓને આ બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં ૨૭૧ શિક્ષક અને ૭૯૩ નાગરિકોએ પણ ભાગ લીધો હતો.

ઓનલાઈન ફરિયાદ કરી શકાશે
રખડતા અથવા પાળેલાં પ્રાણીઓના રસીકરણ, વંધ્યીકરણ કરવું તે જ આ સંદર્ભમાં ફરિયાદ કરવા અથવા વિનંતી નોંધવા માટે સુધરાઈ તરફથી ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. માયબીએમસી (MyBMC) મોબાઈલ ઍપ પર અથવા https://vhd.mcgm.gov.in/register-grievanceઆ લિંક પર નાગરિકો વિનંતી અથવા ફરિયાદ કરી શકે છે. રખડતા શ્ર્વાનની નસબંધી કરવાના ઉપક્રમ ઝડપી બને તે માટે અમુક બિનસરકારી સંસ્થાની પણ નિમણૂક કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ