નેશનલ

Uttar Pradesh માં વરુના વધતાં હુમલા સંદર્ભે યોગી આદિત્યનાથે આપ્યો આ આદેશ

લખનૌ : ઉત્તર પ્રદેશના(Uttar Pradesh)બહરાઈચ જિલ્લામાં વરુના આતંકને કારણે સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. વરુઓએ અત્યાર સુધીમાં નવ લોકોને મારી નાખ્યા છે. ઉત્તર પ્રદેશમાં તાજેતરમા માનવ-વન્ય જીવન સંઘર્ષની ઘટનાઓને સંદર્ભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિભાગીય મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રી એ કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માનવભક્ષી વરુઓ અથવા દીપડા દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. તેને નિયંત્રણમાં લેવા અને પકડવા માટે દરેક કિંમતે પ્રયાસો કરવા જોઈએ અને જરૂરિયાત મુજબ પગલાં લેવા જોઈએ.

લોકોને સલામતીનાં પગલાં વિશે પણ જણાવવું જોઇએ

આ ઉપરાંત વહીવટીતંત્ર, પોલીસ, વન વિભાગ, સ્થાનિક પંચાયત, મહેસૂલ વિભાગે આ વિસ્તારમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવી જોઈએ તેવી સૂચનાઓ અગાઉથી જ આપવામાં આવી છે. લોકોને સલામતીનાં પગલાં વિશે પણ જણાવવું જોઇએ

વરિષ્ઠ અધિકારીઓએ જિલ્લાઓમાં કેમ્પ કરવો જોઈએ

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આમાં જનપ્રતિનિધિઓનો પણ સહકાર લેવો જોઈએ. મુખ્યમંત્રીએ વનમંત્રીને નિર્દેશ આપ્યો છે કે વરિષ્ઠ અધિકારીઓએ જિલ્લાઓમાં કેમ્પ કરવો જોઈએ. બહરાઈચ, સીતાપુર, લખીમપુર, પીલીભીત, બિજનૌર અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વન વિભાગના વધારાના કર્મચારીઓને તૈનાત કરો.તેમણે કહ્યું કે ત્યાં તમામ વિભાગોનું સંયુક્ત પેટ્રોલિંગ વધારવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં લાઇટની સમસ્યા છે ત્યાં પેટ્રોમેક્સની વ્યવસ્થા કરો.

માનવ-વન્યજીવન સંઘર્ષને આપત્તિ જાહેર કરનાર ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય છે. આ ક્રમમાં જંગલી પ્રાણીઓના હુમલામાં ઘાયલ થયેલા અથવા અકાળે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવી જોઈએ.

Also Read –

Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…