નેશનલ

વાયુ સેનાના નાયબ વડાનો પદભાર એર માર્શલ તેજિન્દર સિંહે સંભાળ્યો

નવી દિલ્હીઃ એર માર્શલ તેજિન્દર સિંહે આજે ભારતીય વાયુસેનાના નાયબ વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો, એમ વાયુ સેનાએ અહેવાલમાં જણાવ્યું હતું. એર હેડક્વાર્ટર(વાયુ ભવન) ખાતે કાર્યભાર સંભાળ્યા બાદ એર માર્શલે અહીં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ સિંહને ૧૩ જૂન, ૧૯૮૭ના રોજ ભારતીય વાયુસેના(આઇએએફ)ની લડાયક શાખામાં સનદ આપવામાં આવી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ૪,૫૦૦ કલાકથી વધુ ઉડ્ડયનના અનુભવ સાથે ‘એ’ કેટેગરી લાયકાત ધરાવતા ફ્લાઇટ પ્રશિક્ષક છે.

આ પણ વાંચો : હરિયાણા ભાજપમાં પણ ગુજરાત વાળી ? કેટલા વર્તમાન ધારાસભ્યોના કપાશે પત્તાં ?

તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે એક ફાઇટર સ્ક્વોડ્રન, એક રડાર સ્ટેશન, એક મુખ્ય લડાયક બેઝની કમાન સંભાળી હતી અને તેઓ જમ્મુ અને કાશ્મીરના એર ઓફિસર કમાન્ડિંગ હતા.

નિવેદનમાં જણાવાયું છે કે તેમની વિવિધ સ્ટાફ નિમણૂંકોમાં કમાન્ડ હેડક્વાર્ટરમાં ઓપરેશનલ સ્ટાફ, એર ફોર્સ હેડક્વાર્ટરમાં એર કોમોડોર(કાર્મિક અધિકારી-૧), ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ડેપ્યુટી આસિસ્ટન્ટ ચીફ, આઇડીએસ હેડક્વાર્ટરમાં નાણાકીય (પ્લાનિંગ), એર કોમોડોર(એરોસ્પેસ સુરક્ષા), એર ફોર્સ હેડ ક્વાર્ટરમાં એર ફોર્સ ઓપરેશન્સ(આક્રમક) અને એસીએએસ ઓપરેશન(રણનીતિ)ના સહાયક વડાનો સમાવેશ થાય છે.

તેમની વર્તમાન નિમણૂંક પહેલા તેઓ મેઘાલયના શિલોંગમાં ભારતીય વાયુસેનાના પૂર્વીય એર કમાન્ડ હેડક્વાર્ટરમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર હતા. તેમને પ્રશંસનીય સેવાઓના સમ્માનમાં ૨૦૦૭માં વાયુ સેના મેડલ અને ૨૦૨૨માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ દ્વારા નવાજવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી