મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
બુંધેલ નિવાસી હાલ ઘાટકોપર મનુભાઇ શેઠ (ઉં.વ. ૮૭) તા. ૨૬-૮-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સો. નલિનીબેનના પતિ. વંદના મિલન અને પિંકી સમિરના પિતાશ્રી. ક્રિનિશા, નીલ, પર્લ, જીલ, પૃષ્ટિના દાદાશ્રી. સો. રશિલાબેન ભોગીભાઇના દિયર. સ્વ. કંચન ચંદ્રકાન્ત દામાણી સ્વ. મધુબેન મનસુખલાલ બઝરિયા, સ્વ. હંસાબેન પ્રદીપભાઇ પારેખના ભાઇ. તે મોરચંદવાળા સવિતાબેન મણીલાલ ભગતના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
સ્વ. રંભાબેન ગોપાલદાસ ભાયાણી તે કલ્યાણપુર નિવાસી હાલ મુંબઇના સુપુત્ર ડો. પ્રકાશ ભાયાણી (ઉં. વ. ૮૬) રવિવાર, તા. ૨૫-૮-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. ચુનીભાઇ લોટીયાના જમાઇ. તે ભારતીબેનનાં પતિ. તે કૃતિ અમિત ભટ્ટ, ઉષ્મા દેવેન મહેતા તથા નિહારનાં પિતા. શ્ર્વેતાના સસરા. ઉત્સા તથા શૌનિકનાં દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.

નાઘેર દશા શ્રીમાળી
સામતેર નિવાસી હાલ બોરીવલી સ્વ. સંદીપ શાહ (ઉં. વ. ૩૪) તે ભાવનાબેન જયપ્રકાશ છગનલાલ શાહના સુપુત્ર તા. ૨૫-૮-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે શુભ્રતાના પતિ. તે યથાંશના પિતાશ્રી. તે મેહુલ, નીતેન, હેતલ ભાવિકકુમારના ભાઇ. તે હસુબેન તથા અરુણાબેન બિપીનકુમારના ભત્રીજા. તે પ્રવીણાબેન અરવિંદભાઇ શેઠના જમાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૮-૨૪ના ૪.૩૦થી ૬.૩૦. ઠે. સોનીવાડી, શિંપોલી રોડ, બોરીવલી (વેસ્ટ).

કપોળ
સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી સ્વ. પુષ્પાબેન રમેશચંદ્ર ધાનાણીના પુત્રવધૂ તથા કેતનભાઇના ધર્મપત્ની જસ્મીનબેન (ઉં. વ. ૫૧) તે ડેલીસાના માતુશ્રી. છાયાબેન હેમંતકુમાર વોરા તથા ધર્મેશભાઇના ભાભી. ક્ધિનરીબેનના જેઠાણી. પિયરપક્ષે સિહોરવાળા સ્વ. ભારતીબેન હસમુખલાલ ચીમનલાલ મહેતાની સુપુત્રી સોમવાર, તા. ૨૬-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા ૨૯-૮-૨૪ના ૫થી ૭. ઠે. સનરાઇઝ હોલ, આણંદીબાઇ કોલેજની પાસે, શ્રીજી મહેલ બિલ્ડિંગ, સાંઇબાબા નગર, બોરીવલી (વે). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સુરતી વિશા લાડ વણિક
અશોક ચીમનલાલ દલાલ (ઉં. વ. ૮૪) તે સ્વ. ચીમનલાલ અને સ્વ. ઉર્મિલાના પુત્ર. સ્વ. દેવયાનીના પતિ. ભાવિન, અલ્પાના પિતા. હેમાક્ષીના સસરા. સાહિલના દાદા તા. ૨૬-૮-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.

હરસોલા વૈષ્ણવ વણિક
બોરિવલી નિવાસી બિપીનભાઈ (ઉં. વ. ૭૦) લોણેરાવાળા સ્વ. સવિતાબેન અને સ્વ. ગોવર્ધનદાસ ગિરધરલાલ શાહના પુત્ર. સ્મિતાબેનના પતિ. સૌરીન, વિરલના પિતા. અપર્ણા, કૃતિના સસરા, ભારતીબેન નરેશકુમાર શાહ, શૈલેષભાઈ અને સ્વ. પ્રદીપભાઈના ભાઈ. ગોરેગામવાળા સ્વ. ચીમનલાલ મોહનલાલ ગાંધીના જમાઈ રવિવાર, તા.૨૫-૦૮-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૩૦-૦૮-૨૦૨૪ના ૪.૦૦ થી ૬.૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટૉકીઝની સામે, બોરિવલી (વેસ્ટ).

લુહાર સુથાર
ગામ ઉમરાળાવાળા હાલ કાંદિવલી સ્વ.બળવંતભાઇ જીવરાજભાઇ રાઠોડના ધર્મપત્ની ગં.સ્વ. મંગળાબેન રાઠોડ (ઉં. વ. ૮૮) શનિવાર તા. ૨૪/૦૮/૨૦૨૪ના શ્રીરામચરણ પામ્યા છે. તે કિરીટભાઇ, અજયભાઇ, રેખાબેન દિનેશકુમાર ડોડીયા, હિનાબેન વિનોદકુમાર ચુડાસમાના માતૃશ્રી. હર્ષાબેન, ઇલાબેનના સાસુ. ગામ ધ્રાફાવાળા સ્વ.જીવતીબેન પોપટભાઇ ગોહિલના દિકરી. જયાબેન, ગોપાલભાઇ અને ચંદુભાઇના બેન. પ્રાર્થનાસભા ગુરુવાર તા.૨૯/૮/૨૦૨૪ના ૫ થી ૭. શ્રી લુહાર સુથાર વેલફેર સેંન્ટર,કાર્ટર રોડ નં ૩, મોટા અંબાજી મંદિર પાસે, બોરિવલી ઇસ્ટ.

પરજીયા સોની
લાઠી નિવાસી હાલ બોરીવલી સ્વ. શારદાબેન તથા સ્વ.જમનાદાસ પિતામ્બર સોનીના પુત્ર કિશોરભાઈ સોની હિરાણી (ઉં. વ. ૭૧) તા.૨૫.૦૮.૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. દિનાબેનના પતિ. પ્રશાંત, ઝેનિતના પિતાશ્રી. સ્વ. શ્રીકાંતભાઈ, સ્વ. રસિકભાઈ, મુકેશભાઈ, સ્વ. તારાબેન જસવંતલાલ સાગર, ઉષાબેન પ્રવિણભાઈ સતીકુંવર, પ્રવિણાબેન મનહરલાલ સાગરના ભાઈ. સ્વ. રામજીભાઈ રણછોડભાઈ સાગર દેરડી કુંભાજીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઇ લોહાણા
જૂનાગઢવાળા હાલ બોરીવલીના અ.સૌ. નીલાબેન તથા અનિલભાઈ વલ્લભદાસ કારિયાના પુત્ર દીપભાઈ (ઉં. વ. ૪૦) ૨૪/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નમિતા મનીષકુમાર આડતિયા, જલ્પા સંદીપકુમાર દવાવાલાના ભાઈ. ગો.વા.રમણીકલાલ, ગો.વા.રસિકલાલ, દિલીપભાઈ, ગં. સ્વ. સવિતાબેન ધીરજલાલ સોઢા, ગો.વા.તારામતીબેન શાંતિલાલ લાખાણી, અર્ચનાબેન અરવિંદકુમાર ભીમજીયાણીના ભત્રીજા. પ્રદીપભાઈ પુરુષોત્તમદાસ બારાઈ, હિતેનભાઈ પુરુષોત્તમદાસ બારાઈના ભાણેજ. પ્રાર્થનાસભા ૨૯/૮/૨૪ના ૫ થી ૭. લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેંશન રોડ, અતુલ ટાવરની બાજુમાં કાંદિવલી વેસ્ટ.

વીસા સોરઠિયા વણિક
જામખંભાળિયાના હાલ મુંબઈ નિવાસી નવીનચંદ્ર (ઉં. વ. ૮૪) તે સ્વ.લાભકુંવરબેન ત્રિકમદાસ કલ્યાણજી શાહના પુત્ર. સ્વ.મંજુલાબેનના પતિ. સ્વ.ભીખાલાલ, સ્વ.ધીરજલાલ, સ્વ.દામોદરદાસ, સ્વ. બચીબેન દ્વારકાદાસ, સ્વ.પુષ્પાબેન રસીકલાલ, લીલાવંતીબેન નેમચંદના ભાઈ. પારૂલબેન રાજેશ શુકલ, દીપ્તિ રાકેશ જયસ્વાલ, અનામિકા મિતેશ વીકમસી, હેતલ ધવલ તલાટીના પિતા. સ્વ.નાનજી કલ્યાણજીના જમાઈ ૨૬ શ્રીજીચરણ પામ્યા છે. લૌ.વ્ય.બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો