નેશનલ

Nabanna Abhijan: કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ, 6 હજાર પોલીસકર્મીઓ, ડ્રોનથી દેખરેખ…

કોલકાતા : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં પશ્ચિમ બંગાળના છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું(Nabanna Abhijan)આહ્વાન કર્યું છે. આ સંગઠને આજે એક રેલીનું આયોજન કર્યું છે. જેના પગલે કોલકાતા પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.

જ્યારે ભાજપે પણ આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. જ્યારે ડાબેરી પક્ષોએ આ વિરોધ પ્રદર્શનથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપ-આરએસએસ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાનો આ પ્રયાસ છે

આ પણ વાંચો : કોલકાતા રેપ-મર્ડરની રિયલ સ્ટોરી શું? આરોપીએ દુષ્કર્મ પહેલા અને પછી શું કર્યું?

કોલકાતા-હાવડામાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. જેના પગલે 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 19 પોઈન્ટ પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. મહત્વના સ્થળોએ 5 એલ્યુમિનિયમ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નબન્ના ભવનની બહાર ત્રિ- સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોલકાતા પોલીસના જોઈન્ટ કમિશનર મેરાજ ખાલિદ દિવસભર પોલીસ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ પર નજર રાખશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન પહોંચી શકે છે

નબન્ના ભવનની આસપાસ 160 થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી સવારે 10 વાગ્યાથી નબન્ના ભવનમાં રહેશે. સીપી વિનીત ગોયલ પોલીસ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમમાંથી નિયંત્રણ કરશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન પહોંચી શકે છે.

આ પણ વાંચો : Kolkata રેપ અને મર્ડર કેસને ઉકેલવા સીબીઆઇ સક્રિય, 10માં દિવસે પણ સંદીપ ઘોષની પૂછતાછ

વધારાના દળોને બોલાવવામાં આવ્યા

કોલકાતાના વિવિધ જિલ્લાઓમાંથી પહેલેથી જ વધારાના સુરક્ષા દળો બોલાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોમ્બેટ ફોર્સ, આરએએફ, ક્યુઆરટી, એચઆરએફએસ, વોટર કેનન તૈનાત કરવામાં આવશે. પોલીસે નબન્ના અભિયાનના આયોજકો પાસેથી આ રેલીનું નેતૃત્વ કરનારા નેતાઓ વિશે માહિતી માંગી છે. આ ઉપરાંત પોલીસે રેલીમાં રૂટ, સમય અને કેટલા લોકો એકઠા થશે તેની માહિતી પણ માંગી છે. હાલમાં આયોજકોએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.

વિપક્ષ પર અશાંતિ ભડકાવવાનો આરોપ

ટીએમસીએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પાર્ટી પ્રવક્તા કુણાલ ઘોષે ભાજપ પર અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, તેઓ રાજકીય અસ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ