તરોતાઝા

કાયાની ઈમારતને અડીખમ રાખે હાડકાં

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

જેમ કોઈ પણ ઈમારતની મજબૂતાઈનો આધાર તેમાં વપરાયેલ લોખંડના માળખા પર હોય છે. એ જ રીતે આપણા શરીરની મજબૂતાઈનો મુખ્ય આધાર હાડકાંનું માળખું છે. આપણાં હાડકાં સ્ટીલ કરતાં ચાર ગણા મજબૂત હોય છે. શરીરના કુલ વજનનું આશરે ૧૫% વજન તો માત્ર હાડકાનું જ છે. તેમ જ શરીરમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે. આમ શરીરના બંધારણમાં હાડકાનો ફાળો મહત્ત્વનો હોવાથી હાડકાં સંબંધી કોઈપણ બીમારી શરીરરૂપી ઈમારતને સીધું નુકસાન પહોંચાડી શકે છે.

આજના યુગમાં હાડકાં સંબંધી મુખ્ય બે રોગ છે: વા (Arthritis) અને હાડકાનું ઓગળવું
(Ostoporosis ).
આ બંને રોગ પ્રાય: આપણા આહાર અને જીવનશૈલીની બેદરકારીને કારણે થતા હોય છે. તેથી આ બે રોગને જાણી લઈએ.
જો આહાર અને યોગ્ય જીવનશૈલી દ્વારા ઉપરોક્ત રોગથી બચી શકાતું હોય તો શું આપણે એટલા પણ સમજણા નથી કે આ રોગથી બચવા યોગ્ય જીવન પણ ન જીવી શકીએ…?
શું આપ જાણો છો?

  • વિશ્ર્વમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૫૦% સ્ત્રીઓ અને ૨૫% પુરુષોને ઓસ્ટિયોપોરોસિસ્ થાય છે.
  • ઓસ્ટિયોપોરોસિસ રોગના કારણે જે લોકોને થાપાનું ફ્રેકચર થાય છે તેમાંથી ૨૫% લોકો ૬ મહિનાની અંદર મૃત્યુ પામે છે.

હાડકાં ઓગળવાં એટલે શું?

  • શરીરની અંદર હાડકાં બનવાની અને ઓગળવાની પ્રક્રિયા સતત થતી હોય છે. ૨૫ વર્ષની ઉંમર સુધી હાડકાં બનવાની પ્રક્રિયા, ઓગળવાની પ્રક્રિયા કરતાં વધારે હોય છે.
    ત્યાર પછી ૪૦ વર્ષની ઉંમર બાદ હાડકાં ઓગળવાની પ્રક્રિયા વધી જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ્ કહેવાય છે. એમાં પણ સ્ત્રીઓના માસિકધર્મ બંધ થયા બાદ એમનાં શરીરમાં હાડકાં ઓગળવાની માત્રા પુરુષની તુલનામાં વધી જાય છે. સ્વસ્થ હાડકું. પોલું પડી ગયેલ હાડકું હાડકાં ઓગળવાનાં લક્ષણ:
  • આ રોગનું સ્પષ્ટ જણાય તેવું કોઈ લક્ષણ નથી, છતાં પણ હાડકાં બરડ થઈ ગયા હોવાથી હાડકાં પર થોડું પણ દબાણ આવવાથી ફ્રેકચર થઈ જતું હોય છે.
  • ઓસ્ટિયોપોરોસિસના કારણે કમરના મણકાના ૪૬%, કાંડાંનાં ૧૬%, થાપાના ૧૬% અને બાકીના
    અન્ય ફ્રેકચરો પણ થઈ શકે છે.

કારણ:

  • વિટામિન-ઉની કમી હોવી. (તડકાનું સેવન ખૂબ જ ઓછું હોવાથી) સ્ત્રીઓમાં માસિકધર્મ બંધ થયા બાદ જરૂરી અંત:સ્ત્રાવોની કમી હોવી.
  • શ્રમરહિત જીવન: ૬૦થી ૭૦% લોકોનાં હાડકાં ૬૫ વર્ષની ઉંમર પહેલાં જ પર્યાપ્ત શ્રમના અભાવે અંદરથી પોલા થઈ જાય છે.
  • ટેસ્ટાસ્ટરોનની કમી હોવી (પુરુષત્ત્વનાં લક્ષણોની કમી)
  • વધુ પડતી સ્ટિરોઈડ જેવી દવાઓના ઉપયોગથી.
  • મીઠું અને ખાંડનો આહારમાં વધુ પડતો ઉપયોગ કરવાથી.
  • સિગારેટ, તમાકુ, દારૂ વગેરે નશીલા પદાર્થોના સેવનથી.
  • અમુક લોકોને વારસાગત પણ આ રોગ થઈ શકે છે.

આહાર-વિહાર

  • કેલ્શિયમયુક્ત પદાર્થોનું ખૂબ જ સેવન કરવું. જેમ કે, દૂધ, દહીં, પનીર, ચીઝ, કેળાં, કાકડી, તલ, ફણગાવેલાં કઠોળ, અડદ, ચોળા, પાલખ વગેરે…
  • સફરજન, નાળિયેરનું તેલ, બદામવાળું દૂધ, ગોળ, આમળાં, મેથી વગેરેના ઉપયોગથી હાડકાં મજબૂત બને છે.
  • રોજ ૨૫થી ૩૦ મિનિટ પરસેવો નીકળે એવો શારીરિક શ્રમ કરવો. કેમ કે, તેનાથી આ રોગ અટકાવી શકાય છે અને તેના દર્દીઓને રાહત પણ
    મળે છે.
  • રોજ ૨૦થી ૨૫ મિનિટ વહેલી સવારના તડકાનું સેવન કરવું. તેનાથી શરીરમાં વિટામિન-ઉ૩ની માત્રા વધે છે, જેથી હાડકાં મજબૂત
    બને છે.

ઉપચાર
૧ મુઠ્ઠી શેકેલા સફેદ તલ કે અળસીનો મુખવાસ રોજ સવારે લેવો.
૨. ૧ કપ દૂધમાં ૨ ચમચી બદામનો પાઉડર નાખીને રોજ પીવો.
૩. ૩-૫ ચમચી નારિયેળનું તેલ રોજ જમવામાં લેવું.
૪. નારિયેળ કે તલના તેલથી શરીર પર માલિશ કરીને હૂંફાળા પાણીથી સ્નાન કરવું. આ રીતે કરવાથી હાડકાં મજબૂત બને છે.
૫. દૂધમાં ચૂનાનું પાણી ઉમેરી પીવાથી કેલ્શિયમ વધુ મળે છે.

સાવધાની

  • વૃદ્ધ માણસોનાં હાડકાં નબળાં થઈ ગયાં હોવાથી હાડકાં પર થોડુંક પણ દબાણ આવવાથી ફ્રેક્ચર થવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે તેથી શરીરનું પડખું ફેરવવું, બાથરૂમમાં જવું, નાહવું-ધોવું વગેરે શારીરિક ક્રિયાઓ કરવા-કરાવવામાં ખાસ સાવધાની રાખવી-રખાવવી.ઉ
Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…