અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે
સ્વસ્થ રહેવા માટે નિષ્ણાતો આપણને દરરોજ યોગ, કસરત અને પ્રાણાયામ કરવાની સલાહ આપે છે
તે તણાવ ઘટાડવામાં અને શરીર ફીટ રાખવામાં મદદ કરે છે અનુલોમ વિલોમ પણ આમાંથી એક પ્રકારનો પ્રાણાયામ છે જે ફાયદાકારક છે
આપણે અનુલોમ વિલોમથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણીશું
દરરોજ અનુલોમ વિલોમ કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને શાંતિથી ઊંઘ આવે છે
શ્વાસ લેવાની આ કસરત લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે
આની પ્રેક્ટિસ કરતી વખતે યોગ્ય માત્રામાં ઓક્સિજન શરીરમાં પ્રવેશે છે જેના કારણે ત્વચા સુંદર અને ચમકદાર બને છે.
તેનાથી મૂડ શાંત થાય છે અને ગુસ્સો ઓછો થાય છે તેમજ એકાગ્રતામાં વધારો થાય છે.
તે માઇગ્રેનમાં પણ ફાયદાકારક છે તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
તેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર ફંક્શન પર પણ સકારાત્મક અસર પડે છે અને બ્લડપ્રેશર તથા હૃદયના ધબકારા નિયમિત થાય છે.
તેનાથી ફેફસાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને ચેસ્ટ કંજેશનમાં રાહત મળે છે