આપણું ગુજરાત

નર્મદા પૂરગ્રસ્ત વિસ્તારનાં ૧૦૫ ગામોનાંવેપાર-ઉદ્યોગ માટે પુન:વસન સહાય યોજના જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયેલા પાણી બાદ અસરગ્રસ્ત થયેલા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરાયા બાદ શુક્રવારે સરકારે આ વિસ્તારોના ૧૦૫ ગામ અને શહેરોના વેપાર- ઉદ્યોગને થયેલા નુકસાન માટે સહાય યોજના જાહેર કરી છે. ગુજરાત સરકારે તાજેતરમાં સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પૂર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રૃતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે. આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના ૪૦ ગામો તથા ૨ શહેરો, વડોદરા જિલ્લાના ૩૧ ગામો તેમજ નર્મદા જિલ્લાના ૩૨ ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રૃતિઓને મળવાપાત્ર થશે.

આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહીં માસિક રૂ. ૫ લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બૅન્કો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં સંબંધિત મામલતદાર/ નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે. જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. વધુમાં, અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…