ટોપ ન્યૂઝનેશનલ

અકાસા બાદ હવે આ નવી એરલાઇન શરૂ થશે, મળી અપ્રુવલ…

ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે નવી કંપનીઓની નજર પણ આ સેક્ટર પર છે. એવા સમાચાર આવ્યા છે કે કેરળની ટ્રાવેલ કંપની અલ્હિંદ ગ્રુપને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપની બનવા માટે લીલી ઝંડી આપી દીધી છે. કંપની પોતાની એરલાઈન કંપનીનું સંચાલન અલ્હિંદ એર નામથી કરશે. ઉડ્ડયન ક્ષેત્રમાં નસીબ અજમાવનાર અકાસા એર પછી આ બીજી કંપની હશે.

રિપોર્ટ અનુસાર, અલહિંદ ગ્રુપ આ વર્ષના અંત સુધીમાં એરલાઇન કંપની શરૂ કરી શકે છે. કંપનીને હાલમાં DGCA તરફથી એર ઓપરેટર સર્ટિફિકેટની જરૂર છે. આ ક્લિયરન્સ બાદ કંપની એવિએશન સેક્ટરમાં પ્રવેશ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, કંપની ATR-72 ટર્બોપ્રોપ પ્લેન સાથે તેની શરૂઆત કરી શકે છે. અલ્હિંદ એર હાલમાં પ્રારંભિક તબક્કે રૂ. 200 કરોડથી રૂ. 500 કરોડનું રોકાણ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, કંપની પાસે 5 ATR પ્લેન છે.

અલ્હિંદ એર સૌપ્રથમ દક્ષિણ ભારતમાં ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની યોજના ધરાવે છે. કંપની કોચીનથી બેંગલુરુ, તિરુવનંતપુરમ અને ચેન્નાઈ માટે ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની યોજના ધરાવે છે. કંપની આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ફ્લાઇટ ઓપરેટ કરવાની યોજના બનાવી રહી છે. કંપની આગામી 2 વર્ષમાં તેના કાફલામાં 20 પ્લેન ઉમેરી શકે છે.

કંપનીએ કહ્યું છે કે પ્રારંભિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પાઈલટ, કેબિન ક્રૂ, એન્જિનિયર અને ગ્રાઉન્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. નોંધનીય છે કે, ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં અલ્હિંદ ગ્રુપ એક મોટું નામ છે.

કંપની અન્ય એરલાઇન્સ માટે સેલ્સ એજન્ટ તરીકે કામ કરે છે. કંપનીનું કુલ ટર્નઓવર 20,000 કરોડ રૂપિયા છે. કંપનીની ભારતમાં અને વિદેશમાં 130 ઓફિસો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો