સ્પેશિયલ ફિચર્સ

Rakshabandhan special: રક્ષાબંધન પર ભાભીને શા માટે રાખડી બાંધવામાં આવે છે ? મહાભારત કાળથી છે મહત્વ….

રક્ષાબંધન એ આપણી ભારતીય પરંપરાનો વિશેષ તહેવાર છે. પ્રાચીન કાળથી રક્ષાબંધનના સંદર્ભમાં ઘણી કથાઓ પ્રચલિત છે, જેમાંથી મહાભારત કાળની એક ઘટના સૌથી વધુ રસપ્રદ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો હતો તે સમયે સુદર્શન ચક્ર પાછું આવ્યું ત્યારે શ્રી કૃષ્ણનું કાંડું કપાઈ ગયું. જ્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી પરનો ઘાવ જોયો, ત્યારે તેણે તરત જ તેની સાડીનો છેડો ફાડીને તેને ભગવાન કૃષ્ણના કાંડા પર પટ્ટીની જેમ બાંધી દીધો. આ રક્ષાસૂત્રના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. બદલાતા સમય સાથે રક્ષાબંધનનો તહેવાર પણ ઘણો બદલાઈ ગયો છે.

આજકાલ ભાઈની સાથે ભાભીને રાખડી બાંધવાનું ચલણ ખૂબ વધી ગયું છે. ભાભીને લુંબા બાંધવાની પરંપરા મારવાડી પરિવારથી શરૂ થઈ હતી. ધાર્મિક રીતે, પત્ની તેના પતિની આજ્ઞાકારી છે. લગ્ન પછી પત્ની દરેક ધાર્મિક કાર્ય, યજ્ઞ, જવાબદારી, વચન વગેરેમાં પતિ સાથે ભાગીદાર બને છે. આવી સ્થિતિમાં બહેનો માટે ભાભીનું સ્થાન પણ ભાઈઓ જેટલું જ છે. લગ્ન પછી સ્ત્રી કે પુરુષ દ્વારા કરવામાં આવેલ કોઈપણ ધાર્મિક યજ્ઞ, વ્રત કે વચનને પૂર્ણ માનવામાં આવતું નથી, તેથી ભાભીને રાખડી બાંધવાની પરંપરા ધાર્મિક છે.

ભાભીને ઘરની લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કેસરી રંગ સૂર્યકારક છે. જો બહેનો રક્ષાબંધન પર પોતાના ભાઈઓને આ રંગની રાખડી બાંધે તો તેમનું નસીબ વધે છે. ઉપરાંત બહેનોના સૌભાગ્યમાં પણ વધારો થાય છે. ભાભીને ચમકદાર ગુલાબી રાખડી બાંધવાથી બુધ અને શુક્ર વચ્ચેનો સંબંધ સુધરે છે, જે તમને સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત આનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ