ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

24 કલાક બાદ ત્રણ રાશિના જાતકો આગામી 45 દિવસ જીવશે રાજા જેવું જીવન…

જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે શનિદેવ સૂર્યદેવના પુત્ર છે અને તેઓ તમામ રાશિના જાતકોને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિદેવની ચાલ બદલાય એટલે તેની સારી નરસી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આવા આ શનિદેવ આવતીકાલે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ આવતીકાલે નક્ષત્ર પરિવર્તન કરીને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બીજી ઓક્ટોબર સુધી શનિદેવ આ જ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવના આ નક્ષત્ર પરિવર્તનને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી શકે છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-


વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. વર્ષોથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. માતાના સ્વાસ્થ્યને લઈને કોઈ સારા પરિણામો મળી શકે છે. બિઝનેસ માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે.


કુંભ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન શુકનિયાળ સાબિત થશે. આ રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. શનિદેવની કૃપાથી તમારી પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. વેપાર સંબંધિત બાબતોમાં પણ તમને લાભ થઈ રહ્યો છે. પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા સતાવી રહી હશે તો તે દૂર થઈ રહી છે.

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...
કન્યા રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. કાયદાકીય મામલામાં જિત મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રોપર્ટીમાં કરેલું કોઈ રોકાણ આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યું છે. કામ માટે કોઈ યાત્રા પર જવું પડી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ