નેશનલ

આસામમાં ઉલ્ફાનું જોખમઃ છેલ્લા 24 કલાકમાં 10 વિસ્ફોટક મળ્યા

ગુવાહાટી: ગુવાહાટીમાં આજે વધું બે ‘આઈઈડી જેવા ઉપકરણો’ મળી આવ્યા હતા. પ્રતિબંધિત ઉલ્ફા દ્વારા રાજ્યમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોને ટ્રિગર કરવા માટે ૨૪ વિસ્ફોટકો મૂકવાનો દાવો કરવામાં આવ્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર આસામમાં જપ્ત કરાયેલા ‘બોમ્બ જેવા પદાર્થો’ની કુલ સંખ્યા ૧૦ થઈ ગઈ છે.

ગુવાહાટીના પોલીસ કમિશનર દિગંતા બરાહે જણાવ્યું હતું કે, અમે ઉલ્ફાના નિવેદનમાં ઉલ્લેખિત તમામ વિસ્તારોમાં સઘન શોધખોળ કરી હતી અને એક ઉપકરણ સાતગાંવ વિસ્તારમાં, નરેંગી આર્મી કેન્ટોનમેન્ટ નજીક, અને બીજું રાજ્ય સચિવાલય અને મંત્રીઓની વસાહતની નજીકના છેલ્લા ગેટ પર મળી આવ્યું હતું, જ્યાં મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન પણ આવેલું છે.
ઉલ્ફાએ, ગુરુવારે મીડિયા હાઉસને એક ઈમેલમાં, ફોટોગ્રાફ્સ સાથે ૧૯ બોમ્બના ચોક્કસ સ્થાનોની યાદી આપી હતી, પરંતુ બાકીના પાંચ સ્થળોને નિશ્ચિત કરી શક્યા નથી.

ઉલ્ફાએ જણાવ્યું હતું કે વિસ્ફોટો ગુરુવારે સવારે ૬ વાગ્યાથી બપોર દરમિયાન થવાના હતા, પરંતુ પછી ‘તકનીકી નિષ્ફળતા’ને કારણે બોમ્બ વિસ્ફોટ થયો ન હતો, તેણે વિસ્ફોટક ઉપકરણોને નિષ્ક્રિય કરવા માટે જનતાનો સહકાર માંગ્યો હતો.

આ પણ વાંચો : NIRF Ranking 2024: IIT મદ્રાસ ટોચના સ્થાને; શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ

બરાહે જણાવ્યું હતું કે આ બે ઉપકરણો ગુરુવારે શહેરમાં એક પાનબજારમાં અને બીજું ગાંધી મંડપ રોડ પર મળેલા ઉપકરણો જેવા જ છે. ઉપકરણોમાં કેટલાક ‘વિસ્ફોટક-પ્રકારના પદાર્થો’ મળી આવ્યા હોવા છતાં, તે વિસ્ફોટક હતા કે કેમ તે ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા પછી જ જાણી શકાશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?