નેશનલસ્પોર્ટસ

કોલકાતામાં મહિલા ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાના બનાવથી આઘાતગ્રસ્ત સૌરવ ગાંગુલીએ કહ્યું કે…

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવાની જે આઘાતજનક ઘટના બની છે એ સંબંધમાં ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ કડક શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી છે.

ગાંગુલીએ એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં આ ઘટના સંબંધમાં કહ્યું, ‘હું એક પુત્રીનો પિતા છું અને મહિલા ડૉક્ટર સાથે બનેલી ઘટનાથી મને ખૂબ જ આઘાત પહોંચ્યો છે.’

સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ ગાંગુલીએ જણાવ્યું હતું કે ‘પશ્ર્ચિમ બંગાળને અને સમગ્ર ભારતને સુરક્ષિત માનવામાં આવે છે અને માત્ર એક ઘટનાને આધારે સમગ્ર વ્યવસ્થા બાબતમાં કોઈ નિર્ણય ન દેવો જોઈએ. આ એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના છે. આવા અપરાધ માટે કોઈ માફી ન હોઈ શકે. અધિકારીઓએ તત્કાળ કડક પગલાં લેવા જોઈએ.’
ગાંગુલીએ એવું પણ જણાવ્યું કે ‘આવી ઘટના ક્યાંય પણ બની શકે છે, પરંતુ હૉસ્પિટલની અંદર આવી ઘટના બને એ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. મેડિકલ સંસ્થાનોમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા બનવી જોઈએ.’

પોલીસે મહિલાના આરોપીને પકડી લીધો છે. તે આ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની બહારનો હતો, પરંતુ ક્યારેક આવતો રહેતો હતો. તેણે મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારતાં પહેલાં પોર્ન ફિલ્મ જોઈ હતી અને દારૂ પણ પીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…