મરણ નોંધ

જૈન મરણ

સ્વ. સુરેખા (સુખીબાઇ) શાહ લોઢા (ઉં. વ. ૮૫) તે ડો. જીવરાજ સરદારમલજી શાહ-લોઢાના પત્ની. ડો. શ્રેણીક, નરેશ, પિયુષ, સંધ્યાના માતા. ડો. પોરસ, ચાણકય, નિકુંજ, યશ, નિયતિ, માનસી, યાસિકાના દાદીમા. રેણુકા, સરોજ, શર્મીલાના સાસુ. શુક્રવાર, તા. ૯મી ઓગસ્ટે અરિહંતશરણ પામેલ છે. ભાવનાસભા શનિવાર, ૧૦મી ઓગસ્ટે બપોરે ૨.૩૦થી ૫. ઠે. ભારતીય વિદ્યાભવન, ચોપાટી છે. પિયરપક્ષની ભાવનાસભા પણ સાથે રાખવામાં આવી છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂ. પૂ. જૈન
બોટાદ નિવાસી હાલ મીરારોડ સ્વ. કસ્તુરબેન મનસુખભાઇ અમરચંદ દેસાઇના સુપુત્ર ભોગીલાલ દેસાઇ (ઉં. વ. ૮૭) તા. ૯-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસીલાબેનના પતિ. તે અલ્પેશભાઇના પિતાશ્રી. સોનલબેનના સસરા. સિદ્ધાર્થ અને નિધિના દાદા. અનોપચંદભાઇ, અંબાલાલભાઇ, પ્રવીણભાઇ, સ્વ. મહાસુખભાઇ, સ્વ. વિમળાબેન જયંતિલાલ શાહ અને રંજનબેન જગદીશકુમાર શાહના ભાઇ. તે ટાટમ નિવાસી સ્વ.રામજીભાઇ જસરાજભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
વેરાવળ નિવાસી હાલ માટુંગા, સ્વ. સવિતાબેન જમનાદાસ બખાઈના પુત્ર તેજસભાઈ (ઉં. વ. ૭૧) તે સ્મિતાબેનના પતિ. ભાવેન-ધ્વનિ, પૂજા-ગૌરવના પિતા. શાંતીલાલભાઈ, મનહરલાલભાઈ, હેમંતભાઈ, રાજેષભાઈ, કાંતાબેન, નિર્મળાબેન, સુશીલાબેન, ઉર્મિલાબેન, અનીલાબેન, ઉષાબેન તથા ગીતાબેનના ભાઈ. તે સ્વ. સુરેન્દ્રભાઈ તુલસીદાસ સવાઈના જમાઈ. ગુરુવાર, ૮-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દિગંબર જૈન
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. વીણાબેન (ઉં. વ. ૮૧) સ્વ. કૌશિકભાઇ કેવળદાસ શાહના પત્ની. હર્ષ, બીજલના માતુશ્રી. રણુ, નિલેશકુમારના સાસુ. દ્વિપમકુમારના દાદીજી સાસુ. વિધિ અને ખુશીના દાદીમા. અક્ષતના નાનીજી તા. ૭-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ અંધેરી સ્વ. ભગવાનજી રેવાશંકર મહેતાના સુપુત્ર પ્રકાશ મહેતા (ઉં. વ. ૮૫) તા. ૭-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાક્ષીબેનના પતિ. મિલન, જીતેન, જાગૃતિ દીપક દોશી, જયોતિ મુકેશ શાહના પિતાશ્રી. વિધ્યા તથા અલકાના સસરા. આદિત્ય, રોનક, આયુષીના દાદા. શ્ર્વસુર પક્ષે સ્વ. કાંતિલાલ ધીરજલાલ ઉદાણીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૦-૮-૨૪ના શનિવારના સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ), ૪થી ૬.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મો.લાયજાના રત્નકુક્ષી પ્રેમીલાબેન છેડા (ઉં. વ.૬૨) ૫-૮ના દેશમાં અવસાન પામેલ છે. ધનબાઈ પોપટલાલ ઉમરશીના પુત્રવધૂ. નરેન્દ્રના પત્ની. વિરલ, સંસાર પક્ષે પ.પૂ.સા. વિરાગનિધિશ્રી મ.સા.ના માતુશ્રી. (ના.રતડીયા) ગોધરા હીરબાઈ હિરજીના પુત્રી. લક્ષ્મીચંદ, વસંત, ગંગાબેન પદમશી, લક્ષ્મીબેન મુલચંદ, નવલબેન જીવરાજ, બિદડા પુષ્પાબેન કલ્યાણજીના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈ. શ્રા. સં. સં. કરસન લધુ હોલ દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ.વિરલ નરેન્દ્ર છેડા, જે/૯/૭ બર્વે નગર ઘાટકોપર (વે.) મું. ૮૪.
મંજલ રેલડીયા હાલે હૈદ્રાબાદના નરેન નરશી ગોસર (શાહ) (ઉં. વ. ૬૩) તા. ૮-૮-૨૪ ના અવસાન પામ્યા છે. ઝવેરબેન નરશીના પુત્ર. સ્વ. સ્મિતાના પતિ. મૈત્રીના પિતા. નવીન, પ્રેમીલા, ચંદ્રિકા, પ્રફુલ્લાના ભાઈ. દેવપુર હાંસબાઈ જવેરચંદ દામજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નરેન ગોસર, ૩૦૧, અરિહંત આશિયાના, ડો.ભુમન્ના લેન, બરકત પુરા, કાચીગુડા, હૈદ્રાબાદ – ૫૦૦૦૨૭.
ઝાલાવાડ દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂ. જૈન
વઢવાણ નિવાસી પ્રભાવતિબેન નારીચાણીયા (ઉં. વ. ૯૬) હાલ દાદર સ્વ. ભાઈલાલ હરજીવનદાસ નારીચાણીયાના ધર્મપત્ની, ડૉ. દિલીપભાઈ, મયુરભાઈ, નયનાબેન અનીલભાઈ, રેણૂકાબેન જીતેન્દ્રના માતુશ્રી. આશાબેન જયશ્રીબેનના સાસુ. પિયરપક્ષે સ્વ. લાભુબેન, સ્વ. સમતાબેન, સ્વ.સૌભાગ્યચંદભાઈ, સ્વ. મહાસુખભાઈ, ન્યાલચંદભાઈ, સ્વ. ભોગીભાઈ, સ્વ. અરવિંદભાઈના બેન. અમીત, મોના, આલાપ, દિશા, હેતા, પારમી, શ્રદ્ધા અને નિશાંતના દાદી. ગુરૂવાર, તા. ૮-૮-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે